પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શા માટે કરી પાકિસ્તાન માટે પ્રાર્થના?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 12:04:18



પાકિસ્તાન એક તો આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ચોમાસાએ પાકિસ્તાનની પડ્યા પર પાટા જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી દીધુ છે. 2010 બાદ ફરીવાર પાકિસ્તાનમાં ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાતા જાનમાલને ભારે નુકસાન સર્જાયું છે. ત્યારે પાકિસ્તાનમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં હજારો લોકોના મોત થયા છે અને કરોડો લોકો ઘરવિહોણા થયા છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી પાકિસ્તાન માટે પ્રાર્થના કરી હતી. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન માટે શું કરી પ્રાર્થના? 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર ટ્વીટ કરતા લખ્યું હતું કે, "પાકિસ્તાનમાં પૂરને કારણે થયેલી તબાહી જોઈને દુઃખ થયું. અમે પીડિતોના પરિવારો, ઘાયલો અને આ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ અને સામાન્ય સ્થિતિની  આશા રાખીએ છીએ." 


શા માટે પાકિસ્તાનમાં થયું જાનમાલને મોટી સંખ્યામાં નુકસાન?

દક્ષિણ પશ્ચિમી ચોમાસાના કારણે પાકિસ્તાનમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. આ એજ પવનો છે જે ભારતમાં ચોમાસુ લાવે છે. જુન મહિનાના સમયમાં પશ્ચિમના પવનો અરબ સાગરથી ભારત તરફ વહે છે. સૌથી પહેલા કેરલમાં ચોમાસાનું આગમન થાય છે. ત્યાર બાદ ચોમાસુ ઉપર બાજુ પહોંચતું થાય છે. વાયવ્યના (ગુજરાતથી પાકિસ્તાન બાજુની દિશા) પવનના કારણે છેલ્લે ગુજરાત બાદ ચોમાસુ પાકિસ્તાન તરફ પહોંચે છે. ટૂંકમાં સમજીએ તો ભારત પછી પાકિસ્તાનમાં ચોમાસાનું આગમન થાય છે. જુલાઈ અને ઓગસ્ટ માસમાં પાકિસ્તાનમાં સૌથી વધુ વરસાદ નોંધાય છે. સામાન્ય રીતે પાકિસ્તાનમાં સરેરાશ 113 MM એટલે કે સાડા ચાર ઈંચ વરસાદ થાય છે. પરંતુ આ ચોમાસામાં 354 MM એટલે કે 13 ઈંચથી વધુ વરસાદ પડતા પૂરની પરિસ્થિતિનું નુકસાન થયું હતું. ટૂંકમાં સમજીએ તો પાકિસ્તાનમાં આ વર્ષે સરેરાશથી ત્રણ ગણાથી વધુ વરસાદ પડતા ભયાનક પરિસ્થિતનું નિર્માણ થયું હતું.  



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.