કોંગ્રેસના લલિત વસોયાને કેમ સફાયો આપવો પડ્યો ?


  • Published By :
  • Published Date : 2022-11-07 18:26:20

રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા કાઢવામાં આવી હતી.સભામાં ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપવા જણાવ્યું હતું.અને આ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં લલિત વસોયાનો ભાજપ પ્રેમ છલકાતો જોવા મળ્યો હતો. સભામાં ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપવા જણાવ્યું હતું.જોકે આ બાબતે ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કર્યા હતા કે આ વિડિઓ કટ કરીને ચલાવવામાં આવ્યો છે આ બાબતે ગુજરાત કોંગ્રેસે પણ ટ્વિટ કર્યું હતું અને વિડીયો મૂકી હતી


લલિત વસોયાએ વિડિઓ બનાવી વળતો જવાબ આપ્યો

લલિત વસોયાનો આ વિડિઓ વાયરલ થયા બાદ તેઓએ એક વિડિઓ બનાવી ભાજપ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી BJPની B ટિમ છે આ લોકો ભેગા મળી કોંગ્રેસના વોટ તોડવા આવ્યા છે..ઉલ્લેખનીય છે કે લલિત વસોયાનો વાયરલ થઇ રહેલો વિડિઓ મીડિયામાં પણ જોવા મળ્યો હતો અને આ વિડિઓમાં લલિત ભાઈ આડકતરી રીતે એવું બોલી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીને વોટ આપવા કરતા ભાજપને મત આપજો આમ આદમી પાર્ટી બીજેપીની B ટિમ છે આ નિવેદનના કારણે આખો વિવાદ સર્જાયો હતો 


અગાઉ પણ લલિત વસોયા ભાજપમાં જશે તેવી વાત ફેલાઈ હતી 

લલિત વસોયા અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા કે જેમાં તેમના પોસ્ટરમાં કોંગ્રેસનો કોઈ ઉલ્લેખ નહોતો.ધોરાજીના MLA લલિત વસોયા ભાજપમાં જોડાઇ રહ્યા છે. તેવી તેજ ચર્ચાઑ વચ્ચે લલિત વસોયાના જન્માષ્ટમીની શુભેચ્છા આપતા પોસ્ટરમાં ક્યાંય કોંગ્રેસનો ઉલ્લેખ ન કરાતા એ વખતે અટકળો તેજ બની હતી લલીત વસોયાના પોસ્ટરમાંથી 'પંજો' ગાયબ થતાં ફરી અટકળોનો દૌર પણ જામ્યો હતો.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.