Dediyapadaના MLA Chaitar Vasavaએ Bharuchના MP Mansukh Vasavaને કેમ ઘેર્યા? સાંભળો પ્રહાર કરતા શું કહ્યું?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-07-27 10:17:41

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પરિસ્થતિ છે, દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં પૂર જેવી  હાલત જોવા મળી રહી છે. અનેક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પાણી ભરાઈ જવાને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. સુરત, હોય સૌરાષ્ટ્રના ભાગો હોય, વડોદરા હોય ત્યાં વરસાદને કારણે પરિસ્થિતિ કફોડી બની ગઈ છે. ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.  

ચૈતર વસાવાએ કર્યા ભાજપ પર પ્રહાર

ગુજરાતના અનેક ભાગોમાં મેઘરાજાની બેટિંગ જોરદાર ચાલી રહી છે . ત્યારે ભરૂચ અને વડોદરાની સ્થિતિને લઈને ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાએ ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ચૈતર વસાવાએ કહ્યું છે કે , ભાજપના નેતાઓને માત્ર મત લેવામાં જ રસ છે. સ્થિતિ વિકટ બની હોવા છતાં નેતાઓ પીડિતોને મળવા નથી આવ્યા . પાણીનો નિકાલ પણ નથી થયો . મસમોટું બજેટ વરસાદી પાણીના નિકાલ માટે ફળવાયું  હોવા છતાં આ સ્થિતિ બની છે . 



અનેક વિસ્તારોમાં ઉતારવામાં આવી NDRFની ટીમને 

ચૈતર વસાવાએ પ્લેટફોર્મ X પર ટ્વિટ પણ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે , ગુજરાતના ભરૂચના MP મનસુખ વસાવાએ અને તંત્રએ પાણીની સ્થિતિને લઈને મૌન ધારણ કરેલ છે . ભાજપની લાલચ અને ભ્રષ્ટાચારે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરી . ગલીઓમાં મહોલ્લામાં વરસાદથી પરિસ્થિતિ વિકટ બને છે. મહત્વનું છે કે વરસાદને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. એનડીઆરએફની ટીમને પણ ગુજરાતના અનેક ભાગોમાં તૈનાત કરવામાં આવી છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.