Dediyapadaના MLA Chaitar Vasavaએ Bharuchના MP Mansukh Vasavaને કેમ ઘેર્યા? સાંભળો પ્રહાર કરતા શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-07-27 10:17:41

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પરિસ્થતિ છે, દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં પૂર જેવી  હાલત જોવા મળી રહી છે. અનેક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પાણી ભરાઈ જવાને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. સુરત, હોય સૌરાષ્ટ્રના ભાગો હોય, વડોદરા હોય ત્યાં વરસાદને કારણે પરિસ્થિતિ કફોડી બની ગઈ છે. ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.  

ચૈતર વસાવાએ કર્યા ભાજપ પર પ્રહાર

ગુજરાતના અનેક ભાગોમાં મેઘરાજાની બેટિંગ જોરદાર ચાલી રહી છે . ત્યારે ભરૂચ અને વડોદરાની સ્થિતિને લઈને ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાએ ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ચૈતર વસાવાએ કહ્યું છે કે , ભાજપના નેતાઓને માત્ર મત લેવામાં જ રસ છે. સ્થિતિ વિકટ બની હોવા છતાં નેતાઓ પીડિતોને મળવા નથી આવ્યા . પાણીનો નિકાલ પણ નથી થયો . મસમોટું બજેટ વરસાદી પાણીના નિકાલ માટે ફળવાયું  હોવા છતાં આ સ્થિતિ બની છે . 



અનેક વિસ્તારોમાં ઉતારવામાં આવી NDRFની ટીમને 

ચૈતર વસાવાએ પ્લેટફોર્મ X પર ટ્વિટ પણ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે , ગુજરાતના ભરૂચના MP મનસુખ વસાવાએ અને તંત્રએ પાણીની સ્થિતિને લઈને મૌન ધારણ કરેલ છે . ભાજપની લાલચ અને ભ્રષ્ટાચારે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરી . ગલીઓમાં મહોલ્લામાં વરસાદથી પરિસ્થિતિ વિકટ બને છે. મહત્વનું છે કે વરસાદને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. એનડીઆરએફની ટીમને પણ ગુજરાતના અનેક ભાગોમાં તૈનાત કરવામાં આવી છે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.