દ્વારકાધીશ મંદિર પર કેમ ફરકી રહી છે બે ધ્વજા? દ્વારકા પહોંચ્યા હર્ષ સંઘવી! ધારાસભ્ય પબુભા માણેકે ગળામાં શ્રદ્ધાથી પહેરાતા ખેસથી પહેલા હાથ અને પછી નાક લૂછ્યું!


  • Published By :
  • Published Date : 2023-06-12 17:24:46

બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજ્યના મંત્રીઓને અલગ અલગ જગ્યાઓની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે હર્ષ સંઘવીને દ્વારકાની જવાબદારી સોંપવામાં આવી છે જેને લઈ તેઓ દ્વારકા પહોંચી ગયા છે. જખૌ બંદર આસપાસ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. ત્યારે 16 જૂન સુધી દ્વારકાના પ્રવાસે ન આવવા અપીલ કરી છે. વાવાઝોડાને કારણે પવન તેજગતિએ વહી રહ્યો છે. દ્વારકાધીશ મંદિરમાં બે ધ્વજા ફરકી રહી છે કારણ કે ભારે પવનને કારણે સવારે દ્વારકાધીશ મંદિરમાં ધ્વજા ચઢી ન હતી. જેથી હાલ બે ધ્વજાઓ ફરકી રહી છે. એવી પણ માન્યતા છે કે બે ધ્વજા ચઢાવવાથી સંકટ ટળી જાય છે.

   

નાક લૂછતાં ધારાસભ્યનો વીડિયો સામે આવ્યો!

દ્વારકા પહોંચેલા હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ વાતચીત કરી હતી. તે સમય દરમિયાન પબુભા માણેકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પબુભા માણેક ખેસથી નાક સાફ કરી રહ્યા છે. ન માત્ર નાક પરંતુ વારાફતી ખેસ શરીર પર ફેરવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ખેસ પ્રસાદી તરીકે તેમને આપવામાં આવ્યો હોઈ શકે છે કારણ કે તેની ઉપર દ્વારકાધીશ મંદિરની પ્રિન્ટ પણ છે. આપણે સમજીએ છીએ કે દરિયાકિનારે ગરમી અને ભેજ વધારે હોવાથી ધારાસભ્યને તકલીફ પડી શકતી હોય પરંતુ એનો અર્થ એ નથી થતો કે હાથમાં જે કપડું હોય તેનાથી તમે નાક સાફ કરો. 

 

જો કોઈ બીજા પક્ષના નેતાએ આમ કર્યું હોત તો? 

ત્યારે આ વીડિયો જોઈને એક પ્રશ્ન થાય કે આની જગ્યાએ બીજા કોઈ પક્ષના નેતા હોત તો એ વાતને આટલી સરળતાથી લેવાતી?શું બીજા કોઈ પક્ષના નેતા હોત તો એમને ધર્મ વિરોધી ના ચીતરી દેવતા? પબુભા માણેકે આ અજાણતામાં કર્યું હોય શકે. અને દ્વારિકાના નાથને આવી નાની નાની વાતો અસર નથી કરતી. એ તો કરુણા અને પ્રેમનો સાગર છે. પણ રાજનેતાઓએ આ ઘટના પરથી યાદ રાખવું જોઈએ કે કોઈની પણ સાથે થતી આવી ઘટનાઓને ધર્મ કે શ્રદ્ધા વિરોધી સાબિત કરવાની હરીફાઈમાં ના ઉતરી જવું જોઈએ. આશા રાખીએ છીએ કે તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી સફળતા પુર્વક પૂર્ણ થાય.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.