ગરમીની આગાહી માટે શા માટે અપાય છે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ? જાણો શું છે આ કલર કોડનો મતલબ?


  • Published By :
  • Published Date : 2023-05-10 09:10:50

રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમીનો અનુભવ કરવા લોકોએ તૈયાર રહેવું પડશે. ખાસ કરીને અમદાવાદ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજથી લઈ આગામી 5 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આ રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ ક્યારે આપવામાં આવે તે જાણીશું. 


અમદાવાદમાં થશે કાળઝાળ ગરમીનો અનુભવ! 

અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ વધવાનો શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ત્યારે આગામી પાંચ દિવસ માટે તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાંચ ડિગ્રી જેટલું તાપમાન વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાન પ્રમાણે કલર કોડ આપવામાં આવે છે જેથી લોકોને ખબર પડે કે તાપમાન કેટલું રહેશે. કલર પ્રમાણે તાપમાન કેટલું રહેશે તેની ખબર પડે છે ઉપરાંત તે દિવસ દરમિયાન ગરમીથી બચવા શું કરવું જોઈએ તેની પણ ખબર પડે છે. 


ક્યારે આપવામાં આવે છે યેલો એલર્ટ? 

સૌથી પહેલા વાત કરીએ યેલો એલર્ટની તો જ્યારે શહેરમાં તાપમાન 41થી 43ની વચ્ચે રહેવાની સંભાવના હોય ત્યારે આ એલર્ટ જાહેર કરવામાં આવે છે. આ એલર્ટનો મતલબ છે કે ગરમી સામાન્ય રહેશે. આ એલર્ટની સૌથી વધારે અસર નાના બાળકો તેમજ ગંભીર બિમારી ધરાવતા લોકોને થાય છે. ગરમીથી બચવા આછા રંગના કપડા પહેરવા તેમજ સૂર્યના કિરણોથી બચવું જોઈએ.


જો તાપમાન આટલા ડિગ્રીથી વધારે જાય તો અપાય છે ઓરેન્જ એલર્ટ!

જો તાપમાન 43 ડિગ્રીથી વધારે હોય તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે. 43થી 45 ડિગ્રીની વચ્ચે જો તાપમાન રહેવાની સંભાવના હોય તે વખતે ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે. હાલ અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મતલબ કે અમદાવાદનું તાપમાન 43થી 45 ડિગ્રીની વચ્ચે રહેશે. ઓરેન્જ એલર્ટને કારણે થતી અસરની વાત કરીએ તો લાંબા સમય સુધી સૂર્યના કિરણોમાં રહેવાથી લૂ લાગી શકે છે. લૂ તેમજ ડિહાઈડ્રેશનથી બચવા માટે વધારે પાણી પીવું જોઈએ. ઉપરાંત કામ વગર ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ. તે સિવાય ઠંડક વાળા વાતાવરણમાં બને ત્યાં સુધી રહેવું જોઈએ. 


રેડ એલર્ટ ક્યારે જાહેર કરવામાં આવે છે?   

સૌથી ખતરનાક હોય છે રેડ એલર્ટ. રેડ એલર્ટ જ્યારે આપવામાં આવે છે ત્યારે હિટવેવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ એલર્ટમાં તાપમાન 45 ડિગ્રીથી વધારે રહેવાની સંભાવના રહેતી હોય છે. રેડ એલર્ટ જ્યારે આપવામાં  આવ્યું ત્યારે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો બહુ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર જવું જોઈએ. અને જો ઘરની બહાર જવાનું થાય તો સુર્યના કિરણોથી રક્ષણ મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરીને નિકળવું જોઈએ. 


આજે ક્યાં કેટલી પડશે ગરમી?  

જો આજના તાપમાનની વાત કરીએ તો અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રાજ્યના મધ્ય અને પૂર્વના જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટીના ભાગો જેવા કે ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જૂનાગઢમાં તાપમાન વધવાની સંભાવના છે. જ્યારે સુરત, વલસાડ અને નવસારીમાં તાપમાન 40 ડિગ્રી સુધી જઈ શકે છે. મહત્વનું છે કે આ વખતની ગરમી કાળઝાળ રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું.        



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!