વંદે ભારત ટ્રેન સાથે કેમ ટકરાઇ રહ્યા છે ઢોર? રેલવેના અધિકારીઓએ સરપંચોને નોટિસ ફટકારી


  • Published By :
  • Published Date : 2022-11-04 19:09:44

વંદે ભારત ટ્રેન સાથે એક પછી એક જાનવરોના ટકરાવવાની ઘટનાએ રેલ્વે પોલીસને સતર્ક કરી દીધી છે. રેલ્વે સુરક્ષા દળએ મહારાષ્ટ્રના પાલઘરમાં રેલ માર્ગ સાથે જોડાયેલા ગામના સરપંચોને નોટિસ જાહેર કરવાનું શરૂ કર્યુ છે. નોટિસમાં પાટા પાસે પશુઓને જવા ના દેવા માટે કહેવામાં આવ્યુ છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે જો કોઇ ઢોરનો માલિક બેદરકારી દાખવે છે તો તેના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે ગુજરાત અને મહારાષ્ટ્રના પાટનગર વચ્ચે સેમી-હાઇ સ્પીડ એક્સપ્રેસ ટ્રેન સેવાની શરૂઆત કરી હતી. આ ટ્રેનની શરૂઆત બાદ ગુજરાતમાં આવી ત્રણ ઘટના બની ચુકી છે જેમાં ટ્રેન રખડતા ઢોર સાથે ટકરાઇ છે. પશ્ચિમી રેલ્વેના મુખ્ય પ્રવક્તા સુમિત ઠાકુરે જણાવ્યુ કે નોટિસ RPFના મુંબઇ ડિવીઝન દ્વારા સરપંચોને જાહેર કરવામાં આવી છે, જેમાં અધિકારીઓએ સ્થાનિકોને પોતાના ઢોરને પાટાની આસપાસ ના જવા દેવાની અપીલ કરી છે જેથી આ રીતની દૂર્ઘટનાને ટાળી શકાય. ઠાકુરે કહ્યુ કે સરપંચોને જાહેર નોટિસ નિવારક પ્રકૃતિની છે.

મહત્વપૂર્ણ છે કે ગત શનિવારે ગુજરાતના અતુલ સ્ટેશન પાસે મુંબઇ-ગાંધીનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની ઝપટમાં કેટલાક ઢોર આવી ગયા હતા. આ ટ્રેન સેવા શરૂ થયા બાદ આ રીતની ત્રીજી ઘટના હતી. આ પહેલા છ અને સાત ઓક્ટોબરે પણ ટ્રેનની ટક્કરમાં કેટલાક ઢોર આવ્યા હતા. આ બન્ને ઘટના ગુજરાતમાં બની હતી. આ તમામ ઘટનાઓમાં મુસાફરોને કોઇ ઇજા થઇ નહતી. જોકે, ટ્રેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઇ ગયો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.