અનુપમ ખેરને શા માટે કરવી પડી રીક્ષામાં મુસાફરી? સોશિયલ મીડિયા પર અભિનેતાએ પોસ્ટ કર્યો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-02-06 17:12:44

આવનાર દિવસોમાં બોલિવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર પોતાની આવનારી ફિલ્મ શિવ શાસ્ત્રી બલબોઆને લઈ ચર્ચામાં છે. પોતાના અલગ અલગ અવતારને કારણે તેમની ચર્ચાઓ થતી રહે છે.  સોશિયલ મીડિયા પર તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ એકદમ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. પોતાને પૂરી રીતના ટ્રાન્સફોર્મ કરી લીધું છે. રવિવારના રોજ તેમની ફિલ્મનું સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનુપમ ખેર પોતાની ગાડીમાં નહીં પરંતુ ઓટો રીક્ષામાં સવાર થઈ સ્થળ પર પહોંચ્યા હતા. આ દ્રશ્યો જોઈ બધા અચંબિત થઈ ગયા હતા. અભિનેતાએ આ વીડિયો શેર કર્યો છે.

  

ઈવેન્ટ સ્થળ પર રીક્ષામાં પહોંચ્યા અનુપમ ખેર 

મુંબઈ ખાતે શિવ શાસ્ત્રી બલબોઆ ફિલ્મનું સ્પેશીયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સ્ક્રીનિંગ દરમિયાન અભિનેતાઓ અલગ અલગ રીતે સ્થળ પર પહોંચતા હોય છે. ત્યારે અનુપમ ખેર રીક્ષામાં આવ્યા હતા. જાણીને નવાઈ લાગી હશે ને કે આટલો મોટો અભિનેતા રીક્ષામાં શું કામ આવ્યા. મળતી માહિતી અનુસાર તેમને તેમના ડ્રાઈવરે ખોટી જગ્યાએ પહોંચાડી દીધા હતા અને ઈવેન્ટ પર તેમને સમયસર પહોંચવું હતું જેને લઈ તેઓ રીક્ષામાં આવ્યા હતા. અભિનેતાએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો જેમાં તેઓ ઓટોમાંથી ઉતરતા દેખાતા હતા.    

  शिव शास्त्री बलबोआ

10 ફેબ્રુઆરીના રોજ ફિલ્મ થશે રિલીઝ   

વીડિયો શેર કરતા તેમણે લખ્યું કે કઈ પણ થઈ શકે છે. કાલે દિલ્હીમાં મારી ફિલ્મ શિવ શાસ્ત્રી બલબોઓની સ્પેશિયલ સ્ક્રીનિંગ થઈ રહી હતી. ડ્રાઈવરે મને ખોટી જગ્યા પર ઉતારી દીધો હતો. મારે સૂટ-બૂટમાં ઓટોમાં જવું પડ્યું હતું. જમીન પર ઉતરીને બહુ મજા આવી. આ ફિલ્મમાં અનુપમ ખેરની સાથે સાથે નીના ગુપ્તા, જુગલ હંસરાજ, નરગિસ ફાખરી અને શારિબ હાશમી મુખ્યભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે