અધિક માસને શા માટે કહેવાય છે પુરૂષોત્તમ માસ? અધિક માસના સ્વામી કેવી રીતે બન્યા વિષ્ણુ ભગવાન, જાણો


  • Published By :
  • Published Date : 2023-07-18 16:03:09

હિંદુ ધર્મમાં દરેક મહિનાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. પ્રત્યેક મહિનામાં વિવિધ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે દર ત્રણ વર્ષે અધિક મહિનો આવતો હોય છે જેનું વિશેષ મહત્વ રહેલું હોય છે. આ વખતે શ્રાવણ મહિના પહેલા અધિક માસ આવ્યો છે જેને લઈ અધિક મહિનો ખાસ માનવામાં આવે છે. અધિક મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનો ભગવાન શંકરને પ્રિય છે જ્યારે પરષોત્તમ મહિનો ભગવાન વિષ્ણુને પ્રિય છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં પ્રાર્થના કરવાથી ભગવાનની વિશેષ કૃપા મળે છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે.

અધિક માસ સાથે શ્રાવણનો સંગમ, પુરુષોત્તમ માસમાં કરો હર-હરીની સાધના | Sandesh

શા માટે દર ત્રણ વર્ષે આવે છે અધિક માસ?

દર ત્રણ વર્ષે અધિક મહિનો આવતો હોય છે. ત્રણ વર્ષમાં અધિક માસ આવવા પાછળનું ગણિત છે. જે મુજબ હિંદુ કલેન્ડરમાં 12 મહિનાઓ આવતા હોય છે. હિંદુ વર્ષના તમામ દિવસોની ગણતરી કર્યા પછી માત્ર 354 દિવસ થાય છે, જ્યારે એક વર્ષમાં 365 દિવસ હોય છે. આ એ સમય હોય છે જે સમયમાં પૃથ્વી સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરે છે. આ ગણતરી પ્રમાણે ઈંગલિશ કેલેન્ડર તેમજ હિન્દુ કેલેન્ડરમાં 11 દિવસ ઓછા હોય છે આ દિવસો પુરા કરવા માટે દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે, જેને મલમાસ અથવા પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે.


વિષ્ણુ ભગવાન આવી રીતે બન્યા આ મહિનાના સ્વામી!

ધાર્મિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે આ માસને અશુભ માનવામાં આવે છે, જેના કારણે મલમાસ પડ્યું.તમામ બારેય મહિના અલગ અલગ દેવતાઓ, સ્વામીના દેવતાઓ હોય છે. પરંતુ આ અધિક માસના કોઈ દેવતા ન હતા. તેના સ્વામી કોઈ દેવતા બનવા માગતા હતા. તે સમયે માલમાસે વિષ્ણુજીને પ્રાર્થના કરી હતી. ત્યારે તેની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને આ મહિનાના સ્વામી બન્યા. આ કથાને કારણે આ માસને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. અધિક મહિના દરમિયાન કરવામાં આવતી પૂજાનો વિશેષ લાભ મળતો હોય છે. એમાં પણ શ્રાવણ મહિનામાં અધિક મહિનો આવવાથી શિવજીના ભક્તોમાં તેમજ ભગવાન વિષ્ણુના ભક્તોમાં આનંદની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.