કોણ હશે આપના CMનો ચેહરો , કેજરીવાલ CM ચહેરાની સાથે કરશે રોડ શો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-03 23:28:46


ગુજરાત વિધાનસભા ચૂંટણી આજે જાહેર થઈ ગઈ છે ત્યારે તેવામાં અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે આમ આદમી પાર્ટી AAPના CM ચહેરાની જાહેરાત કરશે ત્યારે અરવિંદ કેજરીવાલ જાહેરાત કરશે તેવા સમાચાર આવી રહ્યા છે. ચર્ચાઓ ચાલી રહી છે કે આમ આદમી પાર્ટીએ 2 નામ પસંદ કર્યા છે જેની આવતીકાલે અરવિંદ કેજરીવાલ જાહેરાત કરશે. અરવિંદ કેજરીવાલ કાલની મુલાકાત બાદ આમ આદમી પાર્ટી શનિવારથી રોડ શોના આયોજન કરશે. પ્રતિદિન 2થી 3 રોડ શોનું આયોજન થશે એવું સૂત્રોએ જણાવ્યું છે.


કોણ હશે CM ચેહરો??

CM ચેહર તરીકે અત્યારે ઈસુદાન ગઢવી અથવા ગોપાલ ઈટાલિયા AAPનો સીએમ ચહેરો હોય એવી પ્રબળ શકયતા છે . પાર્ટીના સૂત્રોએ માહિતી આપી છે કે ગોપાલ ઈટાલિયા પાટીદાર સમાજના છે અને પાટીદાર આંદોલનમાં પણ તેઓ સામેલ હતા.આ દરમિયાન બીજી બાજુ ઈસુદાન ગઢવી ભૂતપૂર્વ પત્રકાર છે અને તેમની લોકપ્રિયતા પણ ઘણી વધારે છે. તેવામાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરાય એની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. જોકે જ્યાં સુધી અરવિંદ કેજરીવાલ ચહેરાની જાહેરાત નહીં કરે ત્યાં સુધી આ સસ્પેન્સ યથાવત રહ્યો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.