AAP કોને બનાવશે મુખ્યમંત્રીનો ચહેરો?? કાલે ખુલશે સસ્પેન્સ


  • Published By :
  • Published Date : 2022-11-03 10:43:30

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્રણેય પાર્ટી પ્રચારમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટીએ તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ત્યારે આપ કોને મુખ્યમંત્રીનો ચહેરો બનાવશે તે પ્રશ્નનો અંત 4 નવેમ્બરના રોજ આવી જશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તે AAPના મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરશે. 

Gujarat Election 2022: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં, આગમન  સાથે જ કહ્યુ,'ભાજપના શાસનથી પ્રજા પરેશાન', ગુજરાત માટે પહેલી ગેરેંટીની ...

આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના નામને લઈ માગ્યા હતા સૂચનો 

દરેક પક્ષ તેમજ લોકો ચૂંટણીની તારીખની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કઈ તારીખે ચૂંટણી યોજાવાની છે તેનું એલાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે. ત્યારે અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવવાના છે. આપે 29 ઓક્ટોબરના રોજ કોને મુખ્યમંત્રીનો ચહેરો બનાવો તે અંગે સૂઝાવો માગ્યા હતા. સૂચનો માગવાનો સમય પૂર્ણ થતા, 4 નવેમ્બરે આમ આદમી પાર્ટી પોતાના મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરવાની છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ઈસુદાન ગઢવી અથવા ગોપાલ ઈટાલિયાને આપ મુખ્યમંત્રી તરીકે મેદાનમાં ઉતારશે. પરંતુ આમ આદમી પાર્ટી કોઈ નવો ચહેરો પણ લાવી શકે છે. ત્યારે બધાની નજર અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પર રહેવાની છે. 

ગુજરાત ચૂંટણી : આમ આદમી પાર્ટી ભાજપ સામે જેટલી સક્રિય દેખાય છે, એટલી બેઠકો  મેળવી શકશે? - BBC News ગુજરાતી

કોઈ જાણીતો ચહેરો આપમાં જોડાઈ શકે છે તેવું અનુમાન  

મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન અનેક વખત ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે. પોતાના પ્રચાર દરમિયાન બીજી રાજકીય પાર્ટીઓ પર પણ પ્રહાર કર્યા છે. અરવિંદ કેજરીવાલની હાજરીમાં અનેક દિગ્ગજ નેતાઓ આપનો ખેસ ધારણ કરી રહ્યા છે. ત્યારે આ વખતની મુલાકાતમાં પણ કોઈ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.             



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.