AAPનો મુખ્યમંત્રી ચેહરો કોણ હશે ? અરવિંદ કેજરીવાલએ કરી જાહેરાત !!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-29 12:44:54


ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતનીચૂંટણીમાં દરરોજ નવા નવા દાવપેચ સામે આવી રહ્યા છે. ગુજરાતણા રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ તેમનું ફોકસ ગુજરાત પર છે. આમ આદમી પાર્ટી પંજાબની જેમ ગુજરાત માટે મુખ્યમંત્રીનો ચેહરો પણ જાહેર કરશે. 



CM ચેહરા સાથે AAP લડશે ચૂંટણી !!

ગુજરાતમાં આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. ચૂંટણી જાહેર થઈ તે પહેલા જ આમ આદમી પાર્ટીએ 7 ઉમેદવારની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા પંજાબની જેમ મુખ્યમંત્રીનો ચેહરો પણ પસંદ કરી લેશે. પંજાબની જેમ આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરાને મેદાનમાં ઉતારશે. જોકે મુખ્યમંત્રી ચેહરા માટે આમ આદમી પાર્ટી જનતા પાસેથી સૂચનો માંગવી શકે છે.


કોણ નક્કી કરશે મુખ્યમંત્રી ચેહરો ??

ચૂંટણી જાહેર થયા બાદ AAP CM ચહેરા સાથે પ્રચાર કરશે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર AAP સર્વે કરશે અને ગુજરાતના લોકો પાસેથી સૂચનો માંગશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે ટેલિફોન દ્વારા ઓપિનિયન પોલ કરવામાં આવશે અને સીએમ ચહેરા માટે ઓપીનિયન પોલ કરવામાં આવશે. ગ્રાઉન્ડ સર્વે પણ કરવામાં આવશે તેમ પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર AAP પંજાબની જેમ ગુજરાતમાં પણ ચૂંટણી લડવા માંગે છે. પંજાબમાં AAPએ CM ચહેરાને ભગવંત માન તરીકે જાહેર કર્યો હતો અને તેથી જ ગુજરાતમાં ઓપિનિયન પોલ હાથ ધરવામાં આવશે અને જનતા સીએમ ચહેરો નક્કી કરશે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.