દિલ્હીના મુખ્યમંત્રીને કોણે આપી જાનથી મારી નાખવાની ધમકી, કેમ પોલીસે ન કરી આરોપીની ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-01-31 14:42:20

અનેક વખત નેતાઓને જાનથી મારી નાખવાની ધમકી મળતી હોય છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુખ્યમંત્રીને ધમકી મળતા પોલીસ પણ દોડતી  થઈ ગઈ હતી. પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ હતી.  ધમકી આપનાર આરોપીની તપાસ કરવામાં લાગી ગઈ હતી. પરંતુ તપાસમાં બહાર આવ્યું છે ધમકી આપનાર વ્યક્તિ માનસિક રીતે બીમાર હતો જેને કારણે પોલીસે તેની ધરપકડ કરી નથી. 


અરવિંદ કેજરીવાલને મળી જાનથી મારી નાખવાની ધમકી 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પીસીઆરમાં ફોન આવ્યો હતો જેમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને ધમકી આપનારની શોધખોળમાં લાગી ગઈ હતી. આરોપી સુધી પોલીસ પહોંચી પરંતુ તેની ધરપકડ કરવામાં ન આવી હતી. 


માનસિક રૂપે બીમાર વ્યક્તિએ કર્યો હતો ફોન 

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સોમવારે મધરાત બાદ દિલ્હીના મુખ્યમંત્રીને આ ધમકી આપવામાં આવી હતી. 12.05 વાગે પીસીઆરમાં તેમને ફોન આવ્યો હતો જેમાં ફોન કરનારે કહ્યું કે તે અરવિંદ કેજરીવાલને મારી નાખશે. પોલીસે લોકેશન ટ્રેસ કર્યા બાદ પોલીસ થોડી વારમાં જ આરોપી સુધી પહોંચી ગઈ હતી. આરોપી સુધી પહોંચ્યા બાદ પોલીસને જાણ થઈ કે માનસીક રીતે બિમાર છે. તેની સારવાર ચાલી રહી છે. માનસિક સ્થિતિને જોઈ પોલીસે તેની ધરપકડ કરી ન હતી.         




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.