બજરંગ પૂનિયાને ગોળી મારવાનું કહેનાર Ex IPS NC અસ્થાના કોણ? પૂનિયાએ આપ્યો વળતો જવાબ


  • Published By :
  • Published Date : 2023-05-29 18:16:36

પહેલવાનોના વિરોધની ચર્ચા ટીવીમાં ઓછી થઈ રહી છે પણ ગઈકાલે પહેલવાનો સાથે જે થયું તેની એક ઘટનાની સોશિયલ મીડિયાની અંદર ખૂબ ચર્ચા થઈ રહી છે. રવિવારે પહેલવાનોના વિરોધ બાદ તેમને રોકવામાં આવ્યા ત્યારે બજરંગ પૂનિયાએ મીડિયાને કહ્યું હતું કે અમને ગોળી મારી દો. જેના જવાબમાં નિવૃત IPSએ લખ્યું, "જરૂરત પડી તો ગોળી પણ મારી દઈશું." જેનો વળતો જવાબ પહેલવાન બજરંગ પૂનિયાએ આપ્યો, "કહી દો ક્યાં આવવાનું છે ગોળી ખાવા." 

ગઈકાલે પહેલવાનોઓ વિરોધ કર્યો ત્યારે બજરંગ પુનિયાએ પોલીસ કાર્યવાહી સામે કહ્યું હતું કે આના કરતા તો ગોળી મારી દો. જેના પર પૂર્વ આપીએસ અધિકારી એનસી અસ્થાનાએ ટ્વીટ કરી છે જેણે વિવાદ ઉભો કરી દીધો છે. વિવાદ પણ થવો સ્વાભાવિક હતો કારણ કે તેમણે પહેલવાનોને ગોળી મારવાની વાત કરી દીધી છે. અહીં સુધી જ તે રોકાયા ના હતા તેમણે તો એવું પણ કહી દીધું હતું કે પહેલવાનોને પોસ્ટમોર્ટમ ટેબલ પર મળીશું... તેમની ટ્વીટ જુઓ 

પહેલવાનો સામે અનેક કલમો હેઠળ થઈ ફરિયાદ 

વિગતવાર વાત કરીએ તો દિલ્લી પોલીસે પહેલવાનો સામે દંગા કરવા, ગેરકાયદેસર રીતે સભા કરવા, સરકારી અધિકારીને સેવા કરતા રોકવા, સરકારી અધિકારીના આદેશનું પાલન ન કરવું, સરકારી અધિકારીને ઘાયલ કરવા સહિતની કલમો હેઠળ ફરિયાદ કરી છે. તો બીજી બાજુ પહેલવાનોનું કહેવું છે કે પહેલવાનો સામે કેસ કરવા દિલ્લી પોલીસને સાત દિવસ લાગે છે પણ અમારી સામે ફરિયાદ કરવામાં પોલીસને સાત કલાક પણ નથી લાગતા. 

કોણ છે પૂર્વ આઈપીએસ એનસી અસ્થાના?

ડોક્ટર એનસી અસ્થાના કેરળના પોલીસ મહાનિદેશક રહી ચૂક્યા છે. તે પહેલા એનસી અસ્થાના બીએસએફ અને સીઆરપીએફમાં એડીજી પદે પણ સેવા આપી ચૂક્યા છે. તેમના ટ્વીટર બાયોમાં જોઈએ તો ખબર પડે છે કે તેમની 51 પુસ્તકો અને 265 રીસર્ચ પેપર અને આર્ટિકલ જાહેર થઈ ગયા છે. અગાઉ પણ તે પોતાની ટ્વીટના લીધે વિવાદમાં આવી ચૂક્યા છે. ગયા વર્ષે જૂનમાં ઉત્તરપ્રદેશમાં હિંસા થયા બાદ એક વીડિયો વાયરલ થયો હત. જેમાં પોલીસ કર્મચારી અમુક લોકોને માર મારતો હતો. ત્યારે એનસી અસ્થાનાએ ટ્વીટ કરી હતી. અત્યંત હી મનોહારી દ્રશ્ય. સુંદર અતી સુંદર. હેકડી એસે હી નિકલતી હૈ. 

પહેલવાનો એક મહિનાથી વધારે સમયથી દિલ્લીના જંતરમંતર પર વિરોધ કરી રહ્યા છે. તેમની માગ છે કે WFIના વડા બૃજભૂષણ શરણ સિંહને હટાવી દેવામાં આવે. કારણ કે તે મહિલા પહેલવાનોનું શારીરિક શોષણ કરી રહ્યા છે. જેની સામે બૃજભૂષણ સિંહ કહી રહ્યા છે કે પહેલવાનો મારા પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે. રવિવારે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન હતું તે પહેલા પહેલવાનોએ જાહેરાત કરી હતી કે મહિલા પહેલવાનો મહિલા મહાપંચાયતમાં સામેલ થશે અને નવી પાર્લામેન્ટ હાઉસ સામે બેસીને ધરણા કરશે. જો કે પહેલવાન કૂચ કરે તે પહેલા જ શનિવાર રાતે જ પોલીસનો કાફલો ખડગી દેવામાં આવ્યો હતો અને રવિવારે પોલીસે તેમને રોક્યા હતા ત્યારે ઘર્ષણ થઈ ગયું હતું. જ્યારે બજરંગ પૂનિયાએ કહ્યું હતું કે અમને ગોળી મારી દો. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.