રેડ પર રાજનીતિ ! સાચું કોણ અમદાવાદ પોલીસ કે આમ આદમી પાર્ટી?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 13:28:52


પોલીસ અને આપ માંથી કોણ સાચું ? 

આમ આદમી પાર્ટી દ્વારા ગઇકાલે રેટ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમદાવાદ પોલીસ દ્વારા તેમના કાર્યાલય ખાતે દરોડા પાડવા માં આવ્યા છે , ત્યારે આજે સવારે અમદાવાદ પોલીસએ ટ્વીટ કરીને આ વાત નકારી છે અને તેનો જવાબ દેતા હવે ગોપાલ ઇટાલિયાએ વધુ ટ્વીટ કરીને ખરેખર દરોડા હોવા નો ખુલાસો કર્યો છે ત્યારે હવે સવાલ થાય છે શું ખરેખર આપ ની ઓફિસ માં દરોડા પડ્યા હતા ? પોલીસ અને આપ માંથી કોણ સાચું ? 

ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને લખ્યું, ગઈકાલે આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ ઉપર પોલીસે રેઈડ કરી હતી અને આખી ઓફિસમાં તમામ કબાટ, ડ્રોઅર, કોમ્પ્યુટર, ડાયરી વગેરે ચેક કર્યા હતા. ડેટા ઓફિસ ચેક કરનાર પોલીસનું નામ પૂછતાં તેઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી હિતેષભાઈ તેમજ પારસભાઈ અને એક અજાણ્યો વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું.



આ પહેલા આજે સવારે અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.


ગોપાલ ઇટાલિયા "ભાજપના કહેવાથી પોહચી પોલીસ"

આપની ઓફિસ દરોડા મામલે રાજનીતિ થઈ રહી છે ત્યારે આજે ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું પોલીસ પર દિલ્હીથી દબાણ આવી રહ્યું છે પોલીસનો કોઈ વાંક નથી. ત્યારે ઇસુદાન ગઢવીએ કહ્યું ભાજપ બોખલાય કેમ ગયું છે અમદાવાદ પોલીસે ટ્વિટ કરી કહ્યું કે રેડ કરવામાં નથી આવી. મને ખબર છે કે પોલીસ પર દિલ્હીથી દબાણ આવી રહ્યું છે. પોલીસનો કોઈ વાંક નથી. પોલીસને બોલવાનો અધિકાર નથી. હું રિક્વેસ્ટ કરું આમ આદમી પાર્ટીની બીજી ઓફિસમાં પણ રેડ કરો પણ છુપાવો છો શું કામ? પોલીસ, સીબીઆઇ અને ઇડીથી ડરવાના નથી.રેડ મામલે ગોપાલ ઇટલીયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગઇકાલ રાત્રે ભાજપના ઇશારે 8.30 વાગ્યા આસપાસ પોલીસે સર્ચ ઓપરેશન કમ રેડ પાડવામાં આવી. અને આજે અમદાવાદ પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે કોઈ રેડ કરવામાં નથી આવી. કાલે 8.30 આસપાસ કેટલા પોલીસ વાળા આવ્યા અને ઓફિસમાં હાજર સંગઠન મંત્રીએ પરિચય પૂછતાં કહ્યું કે, નવરંગપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાંથી આવીએ છીએ અને આઇ કાર્ડ માંગતા પોલીસ તરીકેનું આઇ કાર્ડ બતાવ્યું. જેમાં હિતેશભાઈ અને પરસભાઈનું આઇ કાર્ડ હતું. તેમણે ઓફિસ ચેક કરી હતી. 


જ્યારે આપ ઓફિસ પર રેડ ના પુરાવા માગવામાં આવ્યા ત્યારે તેમણે કહિયું અમારી ઓફિસ નવી છે આટલે કેમેરાની જરૂર પડી નથી .પરંતુ બિલ્ડિંગની બાજુમાં બેંક છે અને તેના કેમેરા ચેક કરવામાં આવે. હિતેશ અને પારસ ના કોલ લોકેશન ચેક કરવામાં આવે. અમે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લેટમાં આપવાના છીએ કે, જો આ અસલી પોલીસ છે તો આ ભાજપએ મોકલેલી પોલીસ છે અને જો આ નકલી હોય તો હિતેશ અને પારસ નામના વ્યક્તિ પર fir કરવામાં આવે.ઉપરાંત તે બંને લોકોના ફોનની લોકેશન ચેક કરવામાં આવે અને બેન્કના કેમેરા ચેક કરવામાં આવે.




અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.