કોણ છે કર્ણાટક પ્રદેશ પ્રમુખ ડી.કે શિવકુમાર જેને માનવામાં આવે છે કોંગ્રેસના સંકટમોચન! ગુજરાતની રાજનીતિ સાથે શું છે તેમનું કનેક્શન?


  • Published By :
  • Published Date : 2023-05-13 15:22:38

કર્ણાટકમાં કોંગ્રેસની જીત લગભગ નિશ્ચિત છે. કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ કર્ણાટકમાં ઘણો ચૂંટણી પ્રચાર કર્યો હતો. રાહુલ ગાંધી હોય કે પછી પ્રિયંકા ગાંધી હોય દરેક વરિષ્ઠ નેતાઓએ ત્યાં પ્રચાર કર્યો હતો. પરિણામમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પણ કામમાં લાગી હોય તેવું નિષ્ણાંતોનું માનવું છે. અનેક વિધાનસભાની બેઠકો પરથી આ યાત્રા પસાર થઈ હતી. ત્યારે કોંગ્રેસની જીત પાછળ પ્રદેશ પ્રમુખ ડી.કે શિવકુમારનો પણ મોટો ફાળો છે. તેમને સીએમના ચહેરા તરીકે પણ જોવામાં આવી રહ્યા છે. ગાંધી પરિવાર સાથે તેમનો જૂનો નાતો છે. શિવકુમારને કર્ણાટક કોંગ્રેસના સૌથી અમીર નેતા માનવામાં આવે છે.              


કર્ણાટકના સૌથી અમીર નેતા માનવામાં આવે છે ડી.કે.શિવકુમાર! 

રાહુલ ગાંધીએ કાશ્મીરથી લઈ કન્યાકુમારી સુધી ભારત જોડો યાત્રા કરી હતી. આ યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો. કર્ણાટકમાંથી પણ આ યાત્રા પસાર થઈ હતી. રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી યાત્રાને સફળ નિષ્ણાંતો માની રહ્યા છે. કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવી રહી છે તેવું લાગી રહ્યું છે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત પાછળ ત્યાંના પ્રદેશ પ્રમુખ ડી.કે શિવકુમારનું યોગદાન માનવામાં આવી રહ્યું છે. ડી.કે શિવકુમાર અનેક વખત કોંગ્રેસ માટે સંકટમોચક તરીકે સામે આવ્યા છે. કર્ણાટક કોંગ્રેસના સૌથી અમીર નેતા છે. પાર્ટીને મળતા ફન્ડિંગમાં તેમનો મોટો ફાળો હોય છે. તેમની પાસે 840 કરોડની સંપત્તિ છે. ગુજરાતની રાજનીતિમાં પણ તેમનો ફાળો છે.         


ગુજરાતની રાજનીતિમાં પણ નિભાવી ભૂમિકા! 

ગુજરાતની ચૂંટણીમાં જયારે અહમદ પટેલ જયારે રાજયસભા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે ભાજપે કોંગ્રેસનો ગઢ તોડવા અનેક ધારાસભ્યોને લલચાવ્યા હતા તે સમયે શિવકુમારે કોંગ્રેસના 44 ધારાસભ્યોને બેંગ્લોરમાં પોતાના રીસોર્ટમાં સાચવ્યા હતા અને અહમદ પટેલ એક મતે જીત્યા તેમાં ડી.કે.શિવકુમારની ભૂમિકા મહત્વની બની રહી હતી.


અનેક વર્ષો બાદ કર્ણાટકમાં કોંગ્રેસની બનશે સરકાર!

કનકપુર વિધાનસભા સીટ પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. આ તેમની પરંપરાગત સીટ છે. આ સીટ પરથી 8 વખત તે વિજય થયા છે. તેમની ટક્કર ભાજપના રાજસ્વ મંત્રી સાથે હતી. અનેક વર્ષો બાદ કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવી રહી છે. કોંગ્રેસની જીત બાદ ડી.કે શિવકુમારે પ્રતિક્રિયા આપી હતી જેમાં તેઓ ભાવુક થયા હતા. ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે વિધાયક દળની બેઠકમાં લેવાશે.  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!