બિચારી સરકાર! કોણ જબરદસ્તીથી સરકારને આંખે પાટો બાંધી રાખે છે? Chhotaudepurનો વિકાસ જુઓ અને સાંભળો સ્થાનિકોની સમસ્યા....


  • Published By :
  • Published Date : 2023-09-06 09:59:46

આપણી સામે અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં રસ્તા ન હોવાને કારણે,  ઉબડખાબડ રસ્તા હોવાને કારણે લોકોને આવવા-જવામાં તો મુશ્કેલી પડે છે, પરંતુ સૌથી વધારે મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે કોઈ દર્દીને હોસ્પિટલ લઈ જવાના હોય. ખરાબ રસ્તા હોવાને કારણે 108 ત્યાં પહોંચી શક્તી નથી અને 108 સુધી પહોંચાડવા માટે દર્દીને ખાટલા પર બેસાડી લઈ જવાય છે. રસ્તા ન હોવાને કારણે અનેક વખત મૃતદેહોને પણ લઈ જવામાં લોકોને મુશ્કેલી વેઠવી પડતી હોય છે. અંતરિયાળ વિસ્તારોથી અનેક વખત આવા દ્રશ્યો આપણી સામે આવતા હોય છે જેને જોઈ પૂછવાનું મન થાય કે શું આ લોકો ગુજરાત રાજ્યમાં નથી આવતા? 

છોટા ઉદેપુરથી સામે આવ્યા દયનીય દ્રશ્યો 

ગુજરાત માટે અનેક વખત આપણે સાંભળીએ છીએ કે ગુજરાત એટલે ગતિશિલ ગુજરાત, ગુજરાત એટલે વિકાસશીલ ગુજરાત વગેરે વગેરે.... પરંતુ લાગે આ વિકાસની વ્યાખ્યામાં ગુજરાતના અંતરિયાળ વિસ્તાર નથી આવતા. કારણ કે અંતરિયાળ વિસ્તાર આજે પણ વિકાસ માટે ઝંખી રહ્યા છે. સારા રસ્તા માટે, પાણી માટે, વીજળી માટે. પ્રકૃતિએ તો તેમને ઘણું બધું આપ્યું છે પરંતુ સરકારે તેમને કંઈ નથી આપ્યું. સરકારે તેમને તો તેમના હકનું પણ નથી આપ્યું. આ વાત અમે છોટા ઉદેપુરથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને કહી રહ્યા છીએ. ખરાબ રસ્તા હોવાને કારણે ગ્રામજનોને મૃતદેહને લઈ જવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. લોકોને મૃત્યુના દુ:ખ કરતા ખરાબ રસ્તા હોવાને કારણે દુખી હતા.


આ સમસ્યા એક ગામની નથી પરંતુ અનેક ગામોની છે...!

સરકારને અનેક વખત અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોએ રજૂઆત કરી છે કે અમને સારા રસ્તા બનાઈને આપવામાં આવે. ખરાબ રસ્તા હોવાને કારણે આવન-જાવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમારી ટીમ પણ જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટીંગ માટે આવા અંતરિયાળ વિસ્તારમાં જાય છે ત્યારે પણ સ્થાનિક લોકોની આવી જ માગ હોય છે. સરકારને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ હજી સુધી સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો. હવે તો લોકો કરતા સરકાર પર દયા આવવા લાગી છે. 'બિચારી સરકાર' કહેવાનું મન થાય છે. આ માત્ર  એક ગામના લોકોની સમસ્યા નથી પરંતુ અનેક અંતરિયાળ વિસ્તારોની સમસ્યા છે જે પ્રકૃતિની નજીક છે પરંતુ સરકારથી દૂર છે.   



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!