ચીન પર કોરોના મૃત્યુઆંકનો ઝડપી, નિયમિત અને વિશ્વસનિય ડેટા આપે: WHO


  • Published By :
  • Published Date : 2023-01-12 14:34:36

ચીનમાં કરોના સંક્રમણે સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી છે. ચીનની સામ્યવાદી સરકાર દેશમાં કોરોનાના કારણે થતા મૃત્યુઆંક અંગે પણ ગોટાળા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુનિયાભરમાં કોવિડના કેસ જે ઝડપથી વધી રહ્યા છે તેથી ચિંતિત બનેલા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ ચીન પાસે કોરોનાના સાચા આંકડા જાહેર કરવાનું કહ્યું છે.


WHOએ ચીન પાસે માગ્યો સાચો ડેટા


WHOના ચીફ ઘેબ્રિસિયસએ એક પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું હતું  કે ગયા સપ્તાહે WHOની વેબસાઈટે લગભગ 11,500 મોતની માહિતી આપી હતી. જેમાંથી અમેરિકામાં 40 ટકા, યુરોપથી 30 ટકા અને પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રથી 30 ટકા હતા. જો કે ચીને  કોરોનાથી સંબંધીત મોતને ઘટાડેલો આકડો રજુ  કર્યો છે. 


WHOના વડાએ ક્હ્યું કે અમે ચીન પાસે હોસ્પિટલમાં દાખલ થયેલા અને મૃત્યુઆંકને લઈને ઝડપી, નિયમિત અને વિશ્વસનિય ડેટા માંગ્યો છે, WHOએ કોરોનાના કેસ અને હોસ્પિટલમાં દાખલ થતા કેસમાં વૃધ્ધી પર ચર્ચા કરવા માટે ચીનના ઉચ્ચ અધિકારીઓ સાથે હાઈ લેવલની બેઠક પણ કરી હતી.


ચીને ઝીરો કોવિડ-19 નિતી ખતમ કરી 


ગત ડિસેમ્બર મહિનાથી જ ચીનની સરકારે લગભગ ત્રણ વર્ષો બાદ કોરોના રોગચાળાને લઈ પોતાની ઝીરો કોવિડ-19 પોલીસી ખતમ કરી દીધી હતી. જેમાંથી થોડા જ સપ્તાહ બાદ કેસમાં જબરદસ્ત વધારો થયો હતો. ત્યાર બાદ જાન્યુઆરીમાં અનિવાર્ય પીસીઆર ટેસ્ટ અને ચીનમાં આવનારા લોકો  માટે સેન્ટ્રલાઈઝ આઈસોલેશન પણ રદ્દ  કરી દીધું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે