કોણ છે એ લોકો જેમણે સંસદની અંદર અને બહાર કોહરામ મચાવ્યો, શા માટે સર્જી તંગદીલી?


  • Published By :
  • Published Date : 2023-12-13 16:25:06

લોકસભાની કાર્યવાહી દરમિયાન અચાનક બે લોકો ગૃહમાં ઘૂસી જતાં હોબાળો મચી ગયો હતો. બંનેના હાથમાં ટીયર ગેસ જેવું કંઈક હતું. જો કે તેઓ કંઈ કરે તે પહેલા જ તે ઝડપાઈ ગયા હતા. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ બે લોકો કોણ છે અને સંસદમાં કેવી રીતે તથા શા માટે પ્રવેશ્યા હતા? સંસદમાં પ્રવેશેલા એક યુવકનું નામ સાગર શર્મા અને બીજાનું નામ મનોરંજન છે. નિષ્કાસિત બસપા સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે તેણે સુરક્ષા અધિકારીઓમાંથી એક વ્યક્તિનો પાસ જોયો અને તેનું નામ સાગર છે. તેઓ મૈસૂર ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હાના પાસ પર આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓ હાલમાં અન્ય વિશે તપાસ કરી રહી છે.


લોકસભાની બહાર બે લોકોએ હંગામો મચાવ્યો હતો

 

સંસદની બહાર બનેલી ઘટનામાં દિલ્હી પોલીસે બે લોકોની અટકાયત કરી છે. તેમના નામ નીલમ અને અનમોલ શિંદે છે. નીલમ એક મહિલા છે અને તેની ઉંમર 42 વર્ષ છે, તે હરિયાણાના હિસારની રહેવાસી છે. બીજા આરોપીનું નામ અનમોલ શિંદે છે. અનમોલના પિતાનું નામ ધનરાજ શિંદે છે અને તે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે. તેની ઉંમર 25 વર્ષ છે.


કોણ છે સાગર અને મનોરંજન?


લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી કુદનારા યુવકનું નામ સાગર શર્મા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, સાગર શર્મા ઉપરાંત જે શખ્સે લોકસભામાં હોબાળો મચાવ્યો તેનું નામ મનોરંજન ડી છે. જો કે કર્ણાટકના મૈસુર શહેરનો વતની છે. તેનું ઉંમર 35 વર્ષ છે, તેણે બેંગ્લરૂની વિવેકાનંદ યુનિવર્સિટીમાંથી એન્જીનિયરિંગ કર્યું છે. તે બંનેએ સાંસદ પ્રતાપ સિમ્હાના પાસ પર સંસદમાં એન્ટ્રી મેળવી હતી. જો કે સંસદની અંદર અને બહાર જે લોકોએ હોબાળો મચાવ્યો હતો તેમની વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે કોઈ જાણકારી મળી શકી નથી. મામલાની તપાસ માટે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોડા અને અને ગૃહ સચિવ અજય ભલ્લા સંસદ પહોંચી ચુક્યા છે. સુરક્ષાકર્મીઓ સંસદમાં અફરાતફરી મચાવનારા બંને યુવકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી દીધી છે. બંને એવું શા માટે કર્યું તે અંગે હજું સુધી કોઈ માહિતી મળી નથી.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.