ફાફડા જલેબી ખાતી વખતે અમદાવાદીઓને ના નડે મોંઘવારી! માત્ર Ahmedabadમાં આટલા કિલો ફાફડા જલેબીનું થયું વેચાણ


  • Published By :
  • Published Date : 2023-10-25 14:10:54

ગુજરાત અને ગુજરાતીઓ જગવિખ્યાત છે. ખાવા પીવાના અને જમવાના શોખીન ગુજરાતીઓને માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે ગુજરાતીઓ જ્યારે ગુજરાતમાં હોય ત્યારે તે વિદેશી ખાવાનું પસંદ કરે અને જ્યારે વિદેશમાં હોય ત્યારે ગુજરાતી ભોજન શોધે. ત્યારે ગઈકાલે દશેરાની ઉજવણી ધામધૂમથી લોકોએ કરી. ફાફડા-જલેબી વગર દશેરાની ઉજવણી ગુજરાતીઓને અધૂરી લાગે. મોંઘવારી ગમે તેટલી કેમ ન હોય, ગમે તેટલા મોંઘા ફાફડા-જલેબી કેમ ન મળતા હોય પરંતુ દશેરાના દિવસે ફાફડા જલેબી તો ખાવા જ પડે. ત્યારે એક સમાચાર પેપરના રિપોર્ટના આધારે એવી માહિતી સામે આવી છે કે અમદાવાદીઓએ 175 કરોડના ફાફડા જલેબી ખાધા છે. 8.4 લાખ કિલોનું વેચાણ ફાફડા જલેબીનું થયું હોય તેવી માહિતી સામે આવી છે.

મહેસાણાનામાં આવતી કાલે મોટા પ્રમાણમાં ફાફડા જલેબીના સ્ટોલ લાગશે-large  number of Fafda Jalebi stalls will installed tomorrow in mehsana News18  Gujarati

18 લાખ કિલો ફાફડાનું અમદાવાદમાં થયું વેચાણ!

નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીની આરાધના કરવામાં આવે છે. નવ દિવસ દરમિાયન ખેલૈયાઓ મન મૂકીને ઘૂમ્યા. દશેરાના દિવસ દરમિયાન આપણે ત્યાં ફાફડા જલેબી ખાવાનો રિવાજ છે. ફાફડા જલેબી જ્યાં સુધી આપણે ના ખાઈએ ત્યાં સુધી નવરાત્રી પૂર્ણ નથી થઈ લાગતી. ત્યારે ગઈકાલે 18 લાખ કિલો ફાફડાનું વેચાણ થયું છે અને એ પણ માત્ર અમદાવાદમાં. અમદાવાદીઓ કરોડોના ફાફડા જલેબી ઝાપટી ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. 


175 કરોડનો થયો ફાફડા-જલેબીનો બિઝનેસ!

એક મીડિયા રિપોર્ટ અનુસાર 175 કરોડના ફાફડા જલેબીનું વેચાણ માત્ર અમદાવાદમાં થયું છે. દશેરાની આગલી રાતથી ફાફડા લેવા માટે લોકો લાઈનમાં ઉભા હતા. અનેક કિલોમીટરો સુધીની લાઈનો આપણને જોવા મળી હતી. લાઈન જોઈને લાગતું હતું કે આ લાઈન, આ ભીડ માત્ર સવારે જ હશે પરંતુ સાંજના સમયે પણ અનેક જગ્યાઓ પર લાઈનો જોવા મળી હતી.


ડ્રાયફૂટ કરતા પણ મોંઘા ભાવે વેચાતા હતા ફાફડા-જલેબી!

મોંઘવારીની વાત અનેક વખત આપણે સામાન્ય માણસોના મોંઢે સાંભળી હશે. દરેક વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે તેવી વાતો આપણે કહેતા હોઈએ છીએ. પરંતુ જ્યારે પણ ખરીદીની વાત આવે છે, ખાવા પીવાની વાત આવે છે ત્યારે લોકો ભાવ નથી જોતા. ગમે તેટલી મોંઘી વસ્તુ કેમ ન હોય પરંતુ ખાવા પીવાની વસ્તુઓની વાત આવે ત્યારે આપણને મોંઘવારી નથી જોતા. ડ્રાયફૂટ કરતા પણ મોંઘા ફાફડા જલેબી વેચાઈ રહ્યા હતા પરંતુ ગુજરાતીઓએ પેટ ભરીને ફાફડા ખાધા છે. 



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?