ચૂંટણીમાં કયા પક્ષને આપશે પાટીદાર સમાજ સમર્થન? અમદાવાદ ખાતે પાટીદારો કરશે મંથન


  • Published By :
  • Published Date : 2022-11-08 10:36:49

ગુજરાતમાં ચૂંટણી પૂર્વે અનેક સમાજો મિટીંગ કરી રહી છે. ત્યારે ગુજરાતની ચૂંટણી પર સૌથી વધારે પ્રભાવ નાખનાર પાટીદાર સમાજની બેઠક યોજાવાની છે. અમદાવાદના ઉમિયા કેમ્પસ સોલા ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં પાટીદાર સમાજની અનેક સંસ્થાઓ ભાગ લેવાની છે ઉપરાંત અનેક સંસ્થાના પ્રમુખ, ટ્રસ્ટી ઉપસ્થિત રહેવાના છે.  આ બેઠકમાં ઉમિયાધામ ઊંઝા, ખોડલધામ કાગવડ અને ઉમિયાધામ સિદસરના પ્રમુખ તેમજ ટ્રસ્ટી હાજર રહેશે. 


ખોડલધામના ટ્રસ્ટી આ બેઠકમાં નહીં રહે હાજર 

બપોરના સમયે પાટીદાર સમાજની બેઠક મળવાની છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદાર સમાજની આવી બેઠક થવાથી ચૂંટણીના પરિણામ પર આની સીધી અસર થઈ શકે છે.  ત્રણ મુખ્ય સંસ્થાઓના પ્રમુખ હાજર રહેવાના હતા. પરંતુ એવી જાહેરાત કરવામાં આવી કે આ બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી હાજર નહીં રહે. 


અનેક સંસ્થાના પ્રમુખ નથી આપવાના બેઠકમાં હાજરી 

આ બેઠકમાં માત્ર બે સંસ્થા ઉમિાયાધામ ઊંઝા અને સિદસર જ હાજર રહેશે. બેઠકમાં ઉપસ્થિત રહેવાનું કારણ જણાવતા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે કહ્યું કે અમે બહાર છીએ જેથી બેઠકમાં હાજરી નહીં આપી શકીએ. જ્યારે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ કહ્યું કે અમને પૂછ્યા વગર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ અમે આ બેઠકમાં ભાગ નહીં લઈએ. ખોડલધામના ટ્રેસ્ટીએ કહ્યું કે નરેશભાઈ પણ આ બેઠકમાં હાજરી નહીં આપી શકે. ઉપરાંત શૈક્ષણિક સંસ્થા સરદાર ધામના પ્રમુખે કહ્યું કે અને તો શૈક્ષણિક સંસ્થા છીએ. આ બેઠકમાં ભાગ લઈ અમે શું કરીશું. પાટીદાર સમાજના અનેક આગેવાનો આ બેઠકમાં હાજરી આપવાનું ટાળી રહ્યા છે. શું પાટીદાર સમાજની એકતા ભંગ થઈ રહી છે?  

બેઠક પૂર્વે નરેશ પટેલે લીધી છે દિલ્હીની મુલાકાત 

આ બેઠક અમદાવાદના સોલા કેમ્પસ ખાતે યોજાઈ રહી છે. વર્લ્ડ પાટીદાર ફેડરેશન દ્વારા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. સી.કે.પટેલની અધ્યક્ષતામાં આ બેઠક મળવાની છે પરંતુ આ બેઠકમાં ખોડલધામના નરેશ પટેલ ઉપસ્થિત નથી રહેવાના. એવું માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીને અનુલક્ષીને આ બેઠક મળી રહી છે ત્યારે નરેશ પટેલની ગેરહાજરીને કારણે અનેક પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે. કારણ કે થોડા દિવસો પહેલાં જ તેઓ દિલ્હીનો પ્રવાસ કરીને આવ્યા છે. જ્યાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. 

    

આ બેઠકની ચૂંટણી પર પડી શકે છે અસર     

પાટીદાર સમાજને એમ પણ ગુજરાતના રાજકારણમાં મહત્વનું માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ સમાજ જે પાર્ટીને સાથે આપે તે પાર્ટીની જીત થઈ જાય છે. ત્યારે આ બેઠકમાં કયા પક્ષને સાથ આપવો તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે. આ બેઠક એવા સમયે યોજાઈ રહી છે જ્યારે ઉમેદવારોના નામની ચર્ચા કરવા સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે. આ બેઠક પર તેમજ ભાજપના ઉમેદવારોના નામ પર સૌ કોઈની નજર છે.   




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!