સાંસદ મોહન કુંડારીયાને બીજેપીના કયા નેતાથી છે વાંધો? મોરબીમાં સામે આવ્યો બીજેપીનો જૂથવાદ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-17 17:01:40

આમ તો ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓને એક બીજાથી વાંધા છે પણ આ વાંધા બહાર નથી આવતા કારણ કે તેની પાછળ અનેક કારણો છે, જો બધુ બહાર આવવા લાગે તો કાલે નેતાજી નજર આવતા બંધ થઈ જાય, ઠીક છે મતભેદો તો રહેવાના જ બધે પણ સૌરાષ્ટ્રના ભાજપના રાજકારણમાં વધુ એક જૂથવાદ સામે આવ્યો છે. વિગતવાર વાત કરીએ સાંસદ મોહન કુંડારિયા ભાજપના કયા વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છે. પોતાના ભાષણમાં સાંસદ મોહન કુંડારીયાએ કહ્યું હતું કે કોઈ એમ માનતું હોય કે 2024 સુધી સાંસદ છું પરંતુ 2029 સુધી સાંસદ રહેવાનો છું. 

સત્કાર સમારોહમાં સાંસદે આપ્યું ભાષણ

મોરબીના વાંકાનેરમાં ભાજપનો વધુ એક જૂથવાદ સામે આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ રાજવી પરિવાર સાથે સંબંધ રાખતા કેશરીસિંહ ઝાલાને રાજ્યસભા લડવા માટે પસંદ કર્યા છે એવામાં તે પોતાના વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે. જ્યારે તે સત્કાર સમારંભ કાર્યક્રમમાં વાંકાનેર પહોંચ્યા હતા. સાંસદ મોહન કુંડારિયા પણ સત્કાર સમારંભમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે કંઈક આવી રીતે ભાષણ આપ્યું હતું. 


વિધાનસભા પહેલા ભાજપે ગૌરવ યાત્રા કાઢી હતી

મોહન કુંડારિયાએ આમ તો નામ લીધા વગર વાત કરી રહ્યા હતા પણ સ્થાનિક સુત્રોને અમે પૂછ્યું કે કયા નેતાજીનું તે નામ લઈ રહ્યા છે તો તેમણે જણાવ્યું હતું કે જે વિસ્તારમાં કાર્યક્રમ છે તે વિસ્તારના ધારાસભ્યની વાત થઈ રહી છે. ટૂંકમાં ચૂંટણી પહેલા તો અનેક નેતાઓ વચ્ચેનો જૂથવાદ સામે આવ્યો હતો પણ હવે ફરીથી સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓનો જૂથવાદ સામે આવ્યો હતો. જો કે અગાઉ વિધાનસભા ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ ગૌરવ યાત્રા કાઢી હતી જેમાં વાંકાનેરમાં મોહન કુંડારિયા હાય હાયના નારા લાગ્યા હતા. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.