સરકાર સ્વીકારે કે ના સ્વીકારે આરોપ સાબિત થઈ ગયા છે... હવે કોના ચહેરા પાછળ છુપાશે સરકાર?


  • Published By :
  • Published Date : 2023-02-28 12:38:59

પીએસઆઈ ભરતીમાં કૌભાંડના આક્ષેપો વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ દ્વારા ગઈકાલે કરવામાં આવ્યા હતા. યુવરાજસિંહે ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યા જે બાદ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે. યુવરાજસિંહે આક્ષેપ મૂકતા જણાવ્યું હતું કે 40 લાખ રુપિયાની લાંચ આપીને કોઈ પણ પરીક્ષા આપ્યા વગર સીધા જ પોલીસ એકેડેમી વડોદરાનો યુવક મયૂર પીએસઆઈ તરીકે તાલીમ લઈ રહ્યો છે. ત્યારે જમાવટની ટીમે વિશાલ રાઠવા સાથે વાત કરી હતી. વિશાલ રાઠવાએ ઉમેદવાર છે જેના નામ સાથે ચેડા મયૂર તડવીએ કર્યા હતા. લિસ્ટમાં વિશાલ રાઠવાનું નામ ત્રીજા ક્રમે હતું પરંતુ મયુર તડવીએ ત્રીજા ક્રમે પોતાનું નામ મૂકી દીધું હતું.  


યુવરાજસિંહે ભરતીમાં ગોલમાલ થતા હોવાના લગાવ્યા હતા આક્ષેપ 

રાજ્યમાં ભરતી કૌભાંડ થતું હોવાનો આક્ષેપ યુવરાજસિંહે લગાવ્યો છે. યુવરાજસિંહે આક્ષેપ લગાડતા કહ્યું કે આ 1382 જગ્યાની આ ભરતીમાં 10 લોકો ગોઠવણથી લાગી ગયા છે. યુવરાજ સિંહે આક્ષેપ લગાવતા કહ્યું કે મયુર તડવી નામનો વ્યક્તિ કોઈ પણ પરીક્ષા આપ્યા વગર પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહ્યો છે. યુવરાજસિંહે આરોપ લગાવતા કહ્યું કે 40 લાખ રુપિયાની લાંચ આપીને કોઈ પણ યુવક કોઈપણ જાતની લેખિત કે શારીરિક પરીક્ષા આપ્યા વગર સીધો પોલીસ તાલીમ એકેડેમીમાં તાલીમ લેવા પહોંચી જાય છે. આ અંગે તપાસ થવી જોઈએ તેવી યુવરાજસિંહે માગ કરી હતી. મળતી માહિતી અનુસાર આ અંગે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પૂરાવાની ચકાસણી કરવામાં આવી રહી છે.   


જમાવટની ટીમે કરી વિશાલ રાઠવા સાથે વાત 

એવું માનવામાં આવી રહ્યું હતું કે વિશાલ રાઠવાએ પોતાની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને પરીક્ષા માટે મોકલ્યો હોઈ શકે છે. ત્યારે જમાવટની ટીમે વિશાલ રાઠવા સાથે વાત કરી હતી જેમાં તેમણે કહ્યું કે તેમણે પરીક્ષા આપી છે અને સત્તાવાર રીતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. લીસ્ટમાં વિશાલ રાઠવાનું નામ ત્રીજા ક્રમે હતું પરંતુ તેમના નામ સાથે ચેડા કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મયૂર તડવીએ પોતાનું નામ મૂકી દીધું હતું. પરીક્ષામાં પાસ થયા બાદ વિશાલ રાઠવા પણ કરાઈ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે.        




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!