સરકાર સ્વીકારે કે ના સ્વીકારે આરોપ સાબિત થઈ ગયા છે... હવે કોના ચહેરા પાછળ છુપાશે સરકાર?


  • Published By :
  • Published Date : 2023-02-28 12:38:59

પીએસઆઈ ભરતીમાં કૌભાંડના આક્ષેપો વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ દ્વારા ગઈકાલે કરવામાં આવ્યા હતા. યુવરાજસિંહે ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યા જે બાદ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે. યુવરાજસિંહે આક્ષેપ મૂકતા જણાવ્યું હતું કે 40 લાખ રુપિયાની લાંચ આપીને કોઈ પણ પરીક્ષા આપ્યા વગર સીધા જ પોલીસ એકેડેમી વડોદરાનો યુવક મયૂર પીએસઆઈ તરીકે તાલીમ લઈ રહ્યો છે. ત્યારે જમાવટની ટીમે વિશાલ રાઠવા સાથે વાત કરી હતી. વિશાલ રાઠવાએ ઉમેદવાર છે જેના નામ સાથે ચેડા મયૂર તડવીએ કર્યા હતા. લિસ્ટમાં વિશાલ રાઠવાનું નામ ત્રીજા ક્રમે હતું પરંતુ મયુર તડવીએ ત્રીજા ક્રમે પોતાનું નામ મૂકી દીધું હતું.  


યુવરાજસિંહે ભરતીમાં ગોલમાલ થતા હોવાના લગાવ્યા હતા આક્ષેપ 

રાજ્યમાં ભરતી કૌભાંડ થતું હોવાનો આક્ષેપ યુવરાજસિંહે લગાવ્યો છે. યુવરાજસિંહે આક્ષેપ લગાડતા કહ્યું કે આ 1382 જગ્યાની આ ભરતીમાં 10 લોકો ગોઠવણથી લાગી ગયા છે. યુવરાજ સિંહે આક્ષેપ લગાવતા કહ્યું કે મયુર તડવી નામનો વ્યક્તિ કોઈ પણ પરીક્ષા આપ્યા વગર પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહ્યો છે. યુવરાજસિંહે આરોપ લગાવતા કહ્યું કે 40 લાખ રુપિયાની લાંચ આપીને કોઈ પણ યુવક કોઈપણ જાતની લેખિત કે શારીરિક પરીક્ષા આપ્યા વગર સીધો પોલીસ તાલીમ એકેડેમીમાં તાલીમ લેવા પહોંચી જાય છે. આ અંગે તપાસ થવી જોઈએ તેવી યુવરાજસિંહે માગ કરી હતી. મળતી માહિતી અનુસાર આ અંગે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પૂરાવાની ચકાસણી કરવામાં આવી રહી છે.   


જમાવટની ટીમે કરી વિશાલ રાઠવા સાથે વાત 

એવું માનવામાં આવી રહ્યું હતું કે વિશાલ રાઠવાએ પોતાની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને પરીક્ષા માટે મોકલ્યો હોઈ શકે છે. ત્યારે જમાવટની ટીમે વિશાલ રાઠવા સાથે વાત કરી હતી જેમાં તેમણે કહ્યું કે તેમણે પરીક્ષા આપી છે અને સત્તાવાર રીતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. લીસ્ટમાં વિશાલ રાઠવાનું નામ ત્રીજા ક્રમે હતું પરંતુ તેમના નામ સાથે ચેડા કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મયૂર તડવીએ પોતાનું નામ મૂકી દીધું હતું. પરીક્ષામાં પાસ થયા બાદ વિશાલ રાઠવા પણ કરાઈ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે.        




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.