વાવમાં ક્યારે યોજાશે પેટા ચૂંટણી? સાંસદ Geniben Thakorની પેટાચૂંટણીને લઈ મોટી જાહેરાત! ઉમેદવાર પણ ફાઇનલ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-23 12:27:53

ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં છે.. ભાજપની પ્રયોગશાળા માનવામાં આવે છે.. રાજકીય રીતે કોઈપણ બદલાવ લાવવો હોય તો સૌથી પહેલા implementation ગુજરાતમાં કરવામાં આવે. લોકસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યોને ઉમેદવાર ના બનાવ્યા હતા, બીજા ઉમેદવારોને ઉભા રાખ્યા હતા જ્યારે કોંગ્રેસે અનેક ધારાસભ્યોને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા.. તેમાંથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીતી ગયા અને સાંસદ બની ગયા. વાવ વિધાનસભા બેઠક પર આવનાર સમયમાં ચૂંટણી થવાની છે. ત્યારે ઉમેદવારને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે.

ચૂંટણી ક્યારે થશે તેની પણ વાત કરી!

લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ બધા એક જ રાહ જોઈ રહ્યા છે કે ગુજરાતમાં પેટા ચૂંટણી ક્યારે થશે? લોકસભાની ચૂંટણી દરમિયાન સૌથી વધારે ચર્ચા બનાસકાંઠા બેઠકની થઈ હતી. બંને પક્ષોએ મહિલાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતી ગયા.  ત્યારે બનાસકાંઠાના સાંસદએ ચૂંટણી ક્યારે હશે એ વાતનો ખુલાસો કર્યો છે!  ભાભરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે નિવેદન આપ્યું છે અને ઈશારા ઈશારામાં ઉમેદવાર કોણ હશે તે પણ જણાવી દીધું!


ઈશારા ઈશારામાં ઉમેદવારનું નામ કહી દીધું

10 થી 15 દિવસમા વાવ વિધાનસભાની ચૂંટણી યોજવા માટેની જાહેરાત થઈ શકે તેવું ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. ભાભરના લોકનિકેતન હોસ્ટેલ ખાતે યોજાયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં કરી હાકલ કરતા કહ્યું કે, આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સર્વ સમાજના ઉમેદવારને જીતાડવા અપીલ કરી... જો આ સ્પીચને ધ્યાનથી સાંભળીએ તો તેમણે એવું કહ્યું બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો. આનો મતલબ એ પણ થાય કે વાવ બેઠક પર કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત ઉમેદવાર તરીકે આવી શકે છે. તો હવે ચૂંટણી પહેલા શું નવાજુની થાય છે તે જોવાનું રહ્યું.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



પહેલા ધોરણમાં ભણતુ બાળક હસતુ રમતુ સ્કૂલે જાય અને સાંજે ઘરે પાછુ જ ન આવે તો....રાત્રે ઘરે પહોંચે મૃતદેહ.... તો મા-બાપ પર શું વિતતુ હશે...છેલ્લા પાંચ દિવસમાં રાજ્યમાં એટલી બધી ઘટનાઓ બની છે કે મહિલા અને બાળકીઓના શોષણ અને હત્યાની કે એક નિઃસાસો છુટી જાય કે ગમે તેટલો વિકાસ કરો

10 થી 15 દિવસમા વાવ વિધાનસભાની ચૂંટણી યોજવા માટેની જાહેરાત થઈ શકે તેવું ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. ભાભરના લોકનિકેતન હોસ્ટેલ ખાતે યોજાયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં કરી હાકલ કરતા કહ્યું કે, આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સર્વ સમાજના ઉમેદવારને જીતાડવા અપીલ કરી

ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે GCCI અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે NZBCCI વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ન્યુઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સ પણ ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા.. NZBCCIના ચેરમેન તરીકે GCCIના સુધાંશુ મહેતાની નિમણૂક કરવામાં આવી છે..

શહેરના ગુંદવાડી વિસ્તારમાં રહેતા સોની પરિવારે આપઘાત કરવાનું પગલું ભર્યું છે.. શરબતમાં ઝેરી દવા ઉમેરી પરિવારજનોએ આપઘાતનો પ્રયત્ન કર્યો છે. તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. વેપારમાં કરોડોનું નુકસાન થયું હોવાને કારણે આ પગલું લેવામાં આવ્યું હોઈ શકે છે..