Rajasthan, Madhya Pradesh સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ક્યારે થશે? Election Commission કરશે આ અંગે જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-10-09 09:37:29

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણી તેમજ મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી તારીખની જાહેરાત આજે બપોરે 12 વાગ્યે થવાની છે. ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી આ તારીખ અંગેની માહિતી આપશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવેમ્બરના બીજા અઠવાડિયાથી લઈ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધીમાં પૂર્ણ થઈ જશે. આવી મીહિતી સામે આવી રહી છે.અલગ અલગ તારીખો તેમજ અલગ અલગ ચરણમાં આ ચૂંટણી સંપન્ન થશે તેવી માહિતી સામે આવી છે.  

રાજય વિધાનસભાની ચુંટણીમાં મતદાન જાગૃતિ માટે ચુંટણીવડા તેમજ સામાજીક અને  શૈક્ષણિક સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે.

12 વાગ્યે ચૂંટણી પંચ કરશે પ્રેસ કોન્ફરન્સ 

ચૂંટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સ કરી પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. પાંચેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ગત વખતની જેમ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. તે જ સમયે, છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થઈ શકે છે. જોકે, મતદાનની તારીખ બદલાય તેવી સંભાવના છે. 

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્વક સંપન્નઃ પ૩.૩૮% મતદાન

પીએમ મોદીએ સંભાળી પ્રચારની કમાન 

મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17મી ડિસેમ્બરે પૂરો થાય છે, જ્યારે રાજસ્થાન વિધાનસભાનો કાર્યકાળ 14મી જાન્યુઆરીએ, મધ્યપ્રદેશનો કાર્યકાળ 6મી જાન્યુઆરીએ, તેલંગાણાનો 16મી જાન્યુઆરીએ અને છત્તીસગઢ વિધાનસભાનો કાર્યકાળ 3જી જાન્યુઆરીએ પૂરો થાય છે. મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ પણ પ્રચારની કમાન પોતાના હાથમાં સંભાળી લીધી છે. ત્યારે ચૂંટણી માટે કઈ તારીખ આવે છે તેની પર સૌ કોઈની નજર છે.    

સ્ટોરી અપડેટ થઈ રહી છે.... 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.