અંબાજી મંદિર પ્રસાદના વિવાદનો અંત ક્યારે? ગેટ બહાર લાગી ધરણા, પ્રદર્શન, રેલી ન કરવાની નોટીસ!


  • Published By :
  • Published Date : 2023-03-14 10:09:23

શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થયે અનેક દિવસો વીતી ગયા છે. પરંતુ તેને લઈ ચાલતો વિવાદ બંધ નથી થયો. દિવસેને દિવસે આ મુદ્દો ગરમાતો જઈ રહ્યો છે. મોહનથાળની બદલીમાં ચિક્કીનો પ્રસાદ શરૂ કરતા અનેક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે મળતી માહિતી અનુસાર અંબાજી મંદિરના ગેટ નંબર 7ને તાળુ મારી દેવામાં આવ્યું છે અને જાહેરનામુ લગાવી દેવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે 24 માર્ચ સુધી કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર ઉપવાસ, ધરણા તેમજ રેલી યોજી શકાશે નહીં.     

Ambaji temple

મોહનથાળ ફરી શરૂ કરવા કલેક્ટરને કરાઈ રજૂઆત  

શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રસાદ સ્વરૂપે આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ અચાનક બંધ કરી દેવાયો હતો અને ચિક્કીનો પ્રસાદ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેને લઈ માઈભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી. મોહનથાળ પ્રસાદ ફરી શરૂ થાય તે માટે વિવિધ સંગઠનો દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મોહનથાળ ફરી શરૂ થાય તેવી માગ કરવામાં આવી હતી. આ મુદ્દાને લઈ દાંતાના રાજવી પરિવારે પણ ઝંપલાવ્યું છે. રાજવી પરિવારે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી હતી.   


ગેટ નંબર 7 બહાર લગાવવામાં આવી સૂચના! 

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ધરણા પણ કરવામાં આવ્યા હતા ઉપરાંત અનેક મંદિરોમાં જઈ મોહનથાળનું વિતરણ પણ કર્યું હતું. તે ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મુદ્દાઓને લઈ વિરોધ નોંધાવામાં આવ્યો હતો. શક્તિપીઠ અંબાજી ખાતે પણ સંગઠનો દ્વારા વિનામૂલ્યે મોહનથાળનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. પરંતુ તેનું વિતરણ એકાએક બંધ થઈ ગયું છે. ઉપરાંત ગેટ નંબર 7 દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને નોટીસ લગાવવામાં આવી છે કે 24 માર્ચ સુધી કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વિના ઉપવાસ, ધરણા, રેલી યોજી શકાશે નહીં. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!