રાજ્યમાં ક્યારે થશે ચોમાસાનું આગમન? વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, વાંચો


  • Published By :
  • Published Date : 2023-06-22 16:32:29

વધતી ગરમીને કારણે લોકો ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. બિપોરજોયને કારણે થોડા દિવસો માટે ઠંડક પ્રસરી હતી પરંતુ ફરીથી ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. આમ તો ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ બેસી જવાનું હતું પરંતુ હવે ચોમાસાનું આગમન થોડું મોડા થશે. હવે ચોમાસુ 27 જૂન સુધી લંબાયું છે અને તે ચિંતાની વાત છે. એટલું જ નહીં આ વર્ષે વાવાઝોડાના કારણે ચોમાસાની સિસ્ટમ પર અસર થઈ છે. ખાનગી હવામાન એજન્સીના અહેવાલ મુજબ બિપરજોય વાવાઝોડા બાદ હવે બંગાળની ખાડી ફરી એક્ટિવ થશે અને તેમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાશે.આ લૉ-પ્રેશર એરિયા જમીન પર ઝડપથી આવશે અને મધ્ય ભારતના વિસ્તારો તરફ આગળ વધશે. 


ચોમાસાની સિસ્ટમ પર વાવાઝોડાને કારણે પડી અસર!

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાત તેમજ રાજસ્થાનમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે જે લો પ્રેશર સર્જાશે તેને કારણે ઓડિશા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં તેના કારણે ભારે વરસાદ થવાની શક્યતા દેખાઇ રહી છે. જૂન મહિનાના અંત સુધીમાં આ સિસ્ટમ નબળી પડી જશે પરંતુ તે ગુજરાત અને રાજસ્થાન તરફ આવે તેવી શક્યતાઓ છે. જેના કારણે ગુજરાત અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. બીજી તરફ પવનની દિશા પણ ફંટાઇ ગઇ હતી. જેના કારણે ચોમાસાની સિસ્ટમ હાલમાં તૈયાર થયેલી જોવા મળતી નથી. જેના કારણે ચોમાસું 7 દિવસ મોડું ગુજરાતમાં પ્રવેશે તેવી સંભાવના છે


હવામાન વિભાગે કરી આ આગાહી

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી એ કહ્યું છે કે ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે. કારણે કે, ભેજ આવી રહ્યો છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસોમાં પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. 


વરસાદને લઈ અંબાલાલ પટેલે કહ્યું કે 

આ સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ પણ કંઈક આવી જ આગાહી કરી છે. અંબાબલ કાકા એ કહ્યું કે વાવાઝોડાની અસર ચોમાસાની સિસ્ટમ પર પડી છે જેને કારણે ચોમાસું ક્યારે બેસશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. ગુજરાતમાં 25થી 30 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. રવિવારની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે. શરૂઆતમાં જ ધોધમાર વરસાદ થશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે.  




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!