ઠંડી ક્યારથી પડશે? જો તમને પણ આ સવાલ હોય તો જાણી લો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી શું કહે છે?


  • Published By :
  • Published Date : 2024-11-14 12:16:01

ઠંડીની શરૂઆત ક્યારથી થશે તે પ્રશ્ન આપણને સૌને થઈ રહ્યો છે... બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને વહેલી સવાર તેમજ રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે... પરંતુ બપોરના સમયે તો જાણે ઉનાળો હોય તેવું જ લાગે.. ચોમાસા દરમિયાન પણ ગરમીનો અહેસાસ થતો હતો.. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે... કારતક મહિનામાં પણ ગરમી પડી રહી છે.. આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે કે ઘટશે તે મુંઝવણ લોકોને રહેતી હોય છે. ત્યારે ઠંડીનો અહેસાસ ક્યારથી થશે તેની જાણકારી પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે...

શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી?

પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર 17 તારીખ સુધી તાપમાનમાં મોટા ફેરફાર આવે તેવી સંભાવનાઓ નથી.. ગરમીનો પારો ગગડે તેવી પણ સંભાવના નથી.. તાપમાનના પારામાં એકથી બે ડિગ્રીનો ફેર પડી શકે છે... પરંતુ તેના કરતા વિશેષ તાપમાનમાં કોઈ ફેરફાર  નહીં આવે.... 17 નવેમ્બર સુધીમાં અલગ અલગ વિસ્તારોમાં દિવસનું તાપમાન 32થી 35 ડિગ્રી સુધી જોવા મળી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.... તાપમાન હાલ ધીમી ગતિએ ઘટી રહ્યું છે જેને કારણે ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો.....



પાછોતરા વરસાદે ખેડૂતને પાયમાલ કર્યા!

મહત્વનું છે કે ઠંડીની શરૂઆત હજી સુધી નથી થઈ જેને કારણે ધરતીપુત્રો ચિંતામાં છે.... શિયાળા પાકનું વાવેતર કરવાનો સમય થઈ ગયો છે.... પરંતુ જે પ્રમાણેનું વાતાવરણ જોઈએ તે પ્રમાણેનું વાતાવરણ નથી.... ઉલ્લેખનિય છે કે વાતાવરણ પર ખેતીનો આધાર રહેલો છે... પાછોતરા વરસાદને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો છે... તૈયાર થયેલો પાક બગડી ગયો છે જેને કારણે ખેડૂતો બેહાલ થઈ ગયા છે... સરકારે સહાયની જાહેરાત તો કરી છે પરંતુ સહાય ખેડૂતો સુધી પહોંચશે કે કેમ તે જોવાનું રહ્યું....   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે