ઠંડી ક્યારથી પડશે? જો તમને પણ આ સવાલ હોય તો જાણી લો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી શું કહે છે?


  • Published By :
  • Published Date : 2024-11-14 12:16:01

ઠંડીની શરૂઆત ક્યારથી થશે તે પ્રશ્ન આપણને સૌને થઈ રહ્યો છે... બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને વહેલી સવાર તેમજ રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે... પરંતુ બપોરના સમયે તો જાણે ઉનાળો હોય તેવું જ લાગે.. ચોમાસા દરમિયાન પણ ગરમીનો અહેસાસ થતો હતો.. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે... કારતક મહિનામાં પણ ગરમી પડી રહી છે.. આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે કે ઘટશે તે મુંઝવણ લોકોને રહેતી હોય છે. ત્યારે ઠંડીનો અહેસાસ ક્યારથી થશે તેની જાણકારી પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે...

શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી?

પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર 17 તારીખ સુધી તાપમાનમાં મોટા ફેરફાર આવે તેવી સંભાવનાઓ નથી.. ગરમીનો પારો ગગડે તેવી પણ સંભાવના નથી.. તાપમાનના પારામાં એકથી બે ડિગ્રીનો ફેર પડી શકે છે... પરંતુ તેના કરતા વિશેષ તાપમાનમાં કોઈ ફેરફાર  નહીં આવે.... 17 નવેમ્બર સુધીમાં અલગ અલગ વિસ્તારોમાં દિવસનું તાપમાન 32થી 35 ડિગ્રી સુધી જોવા મળી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.... તાપમાન હાલ ધીમી ગતિએ ઘટી રહ્યું છે જેને કારણે ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો.....



પાછોતરા વરસાદે ખેડૂતને પાયમાલ કર્યા!

મહત્વનું છે કે ઠંડીની શરૂઆત હજી સુધી નથી થઈ જેને કારણે ધરતીપુત્રો ચિંતામાં છે.... શિયાળા પાકનું વાવેતર કરવાનો સમય થઈ ગયો છે.... પરંતુ જે પ્રમાણેનું વાતાવરણ જોઈએ તે પ્રમાણેનું વાતાવરણ નથી.... ઉલ્લેખનિય છે કે વાતાવરણ પર ખેતીનો આધાર રહેલો છે... પાછોતરા વરસાદને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો છે... તૈયાર થયેલો પાક બગડી ગયો છે જેને કારણે ખેડૂતો બેહાલ થઈ ગયા છે... સરકારે સહાયની જાહેરાત તો કરી છે પરંતુ સહાય ખેડૂતો સુધી પહોંચશે કે કેમ તે જોવાનું રહ્યું....   



ઉત્તરપ્રદેશના મુજ્જફરનગરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં પત્નીએ પતિને ઝેર આપી દીધું. કેમ કે થોડાક સમય પેહલા પતિએ પત્નીનું અફેર પકડી પાડ્યું હતું . આ અફેરના લીધે બેઉ વચ્ચે લાંબા સમયથી ખટરાગ હતો . હવે પોલીસે પત્ની પર કેસ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

૭.૭ ની તીવ્રતાના ભૂકંપના આંચકા મ્યાનમાર થી લઈને બેંગકોકથી દિલ્હી સુધી અનુભવાયા.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર અગાઉ કહી ચુક્યા છે કે , ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થવો જ જોઈએ. જોકે હવે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને તેમના પતિ ઉષા વાન્સ ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે તે પેહલા ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ પણ આ મુલાકાતનો વિરોધ કર્યો છે . ગ્રીનલેન્ડ અમેરિકા માટે ખુબ મહત્વનું બન્યું છે કેમ કે , તેના કાંઠે રશિયન અને ચાઈનીઝ જહાજોની અવરજવર વધી ગઈ છે . તો હવે જોઈએ કે ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.

અભિનેતા સલમાન ખાનની લોરેન્સ બિશ્નોઇ અંગે પેહલીવાર પ્રતિક્રિયા સામે આવી છે . આ પ્રતિક્રિયા "સિકંદર" ફિલ્મના પ્રમોશન દરમ્યાન સામે આવી હતી . લોરેન્સ બિશ્નોઇ અને સલમાન ખાન વચ્ચે ૧૯૯૮થી જ અદાવત ચાલી રહી છે કે જયારે ફિલ્મ "હમ સાથ સાથ હેના" શૂટિંગ દરમ્યાન કાળિયારનો શિકાર કરવામાં આવ્યો હતો . આ કાળીયાર બિશ્નોઇ સમાજ માટે પવિત્ર ગણાય છે.