Gujaratમાં ક્યારે પડશે કડકડતી ઠંડી? જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું?


  • Published By :
  • Published Date : 2024-11-20 14:21:10

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે... આગામી દિવાસમાં તાપમાનમાં વધારે ફેરફાર નહીં આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... પહાડી વિસ્તારમાં હિમ વર્ષા થવાને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે...ગાંધીનગર સૌથી ઠંડી શહેર બન્યું છે.. ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે...

ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

લોકો આતુરતાથી ઠંડી ક્યારે થશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા... ધીરે ધીરે તાપમાનનો પારો ગગડી રહ્યો છે... લઘુત્તમ તાપમાનમાં ફેરફાર આવી રહ્યો છે... ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદનું તાપમાન 19.7 નોંધાયું છે જ્યારે ડીસાનું તાપમાન 16.4 નોંધાયું છે.. વડોદરાનું તાપમાન 17 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 20.1 ડિગ્રી નોંધાયું છે... નલિયાનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું છે...



ડિસેમ્બરમાં વધી શકે છે ઠંડીનું પ્રમાણ

મહત્વનું છે કે નવેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ જાય છે સામાન્ય રીતે પરંતુ આ વખતે ઠંડીની શરૂઆત મોડી થઈ છે.... અનેક વિસ્તારોમાં તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે.. ડિસેમ્બર મહિનામાં વધારે તાપમાનના પારામાં ઘટાડો થવાની સંભાવના છે.... કડકડતી ઠંડીનો અનુભવ થવાની શરૂઆત થઈ જશે આવનાર સમયમાં તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે