નર્મદા ડેમમાંથી પાણી છોડાતા અનેક ગામોમાં સર્જાઈ હતી પૂર જેવી પરિસ્થિતિ, જાણો સરદાર સરોવર નિગમના અધિકારીએ શું આપ્યું કારણ


  • Published By :
  • Published Date : 2023-09-22 16:48:33

ગુજરાતના અનેક ભાગોમાં વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. અનેક જગ્યાઓથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. અનેક જગ્યાઓ એવી છે જ્યાં વરસાદી પાણી ઘરોમાં ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ઘરમાં પાણી ઘૂસી જવાથી લોકો વધારે પરેશાન થઈ રહ્યા છે. ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. નર્મદા ડેમમાં અચાનક પાણી છોડવામાં આવ્યું જેને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ડેમમાં પાણીની ભરપૂર આવક તો થઈ પરંતુ તે જે સ્થિતિ સર્જાઈ તે વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ. નર્મદા તેમજ ભરૂચમાં લોકો કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે દ્રશ્યો તમે જોયા હશે. વિવાદોમાં ઘેરાયેલાં સરદાર સરોવર નર્મદા નિગમે નર્મદા ડેમમાં અચાનક પાણી આવવા પાછળ અલગ જ કારણ બતાવ્યું. 



સરદાર સરોવર નિગમે આપ્યું આ કારણ!

વિવાદોમાં ઘેરાયેલા સરદાર સરોવર નિગમે એક યાદી બહાર પાડી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ઈન્દિરા સાગર ડેમ અને નર્મદા ડેમની વચ્ચે વાદળ ફાટવાથી અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અચાનક વાદળ ફાટવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. યાદીમાં જણાવ્યા અનુસાર ઓગષ્ટ મહિનામાં નોંધપાત્ર વરસાદ થયો ન હતો. પહેલી ઓગષ્ટે નર્મદા કંટ્રોલ ઓથોરીટીની સરદાર સરોવર જળાશય નિયમન સમિતિની બેઠક મળી હતી. જેમાં 4 સપ્ટેમ્બરનું નર્મદા ડેમનું સ્તર 136.64 મીટર હોવું જોઇએ તેમ નકકી થયું હતું.


પરંતુ તે દિવસે નર્મદા ડેમની સપાટી 133.73 મીટર હતી. સપાટી ઓછી હોવા છતાં રીવર બેડ પાવર હાઉસના ટર્બાઇન ચાલુ હતાં.  વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. વીજ ઉત્પાદન બાદ પાણી નર્મદા નદીમાં ઠલવાતું હતું. પાણીની બચત કરવાના આશયથી 6 સપ્ટેમ્બરથી આરબીપીએચ બંધ કરી દેવાયું હતું. તો બીજી તરફ 6 સપ્ટેમ્બરથી 14મી સપ્ટેમ્બર દરમિયાન સરદાર સરોવર પરિયોજનાના ઉપરવાસમાં ખૂબ ઓછો વરસાદ થયો હતો.


નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં 15મી સપ્ટેમ્બરે મધ્યમ વરસાદ પડ્યો જ્યારે 16 અને 17 સપ્ટેમ્બરે અતિભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે આ સમયકાળ દરમિયાન ઉપરવાસનો મુખ્ય ડેમ એવો ઈન્દિરાસાગર પૂરેપૂરો ભરાઇ ગયો. ડેમ છલોછલ ભરાઈ જવાને કારણે તમામ પાણી નર્મદા ડેમ તરફ છોડાઈ રહ્યું હતું. એવું પણ કારણ દર્શાવવામાં આવ્યું કે ઇન્દિરા સાગર ડેમ અને નર્મદા ડેમની વચ્ચે વાદળ ફાટવાથી અચાનક પૂરની સ્થિતિ સર્જાઇ હતી. 16મીએ રાત્રે સરદાર સરોવરમાં પાણીની આવક 21.75 લાખ કયુસેક નોંધાઇ હતી.


17 સપ્ટેમ્બરના દિવસે છોડાયું 18 લાખ ક્યુસેક પાણી

સેન્ટ્રલ વોટર કમિશન તરફથી નોંધપાત્ર આગાહી ન હોવા છતાં 16મી સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યાથી નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રીમમાંથી 45 હજાર કયુસેક ત્યાર બાદ 12 કલાકે 1 લાખ કયુસેક, બપોરે 2 કલાકે 5 લાખ કયુસેક અને સાંજે 5 વાગ્યે 8 લાખ કયુસેક પાણી છોડયું હતું. ડેમ માં મહત્તમ 21.75 લાખ કયુસેક પાણીની આવક સામે 17 સપ્ટેમ્બરની વહેલી સવારે નર્મદા ડેમમાંથી 18.62 લાખ કયુસેક પાણી છોડાયું હતું. 


ગ્રામજનોએ લીધો મંત્રીઓનો ઉધડો!

એકાએક ડેમમાં પાણી છોડવામાં આવતા ગામો એલર્ટ કરવામાં આવ્યા હતા. ગામોને એલર્ટ તો કરવામાં આવ્યા હતા. પરંતુ પૂરને કારણે જે સ્થિતિ સર્જાઈ છે તે વિનાશકારી છે. લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. જ્યારે કોઈ નેતા કે અધિકારી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે ત્યારે તેમને લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ મુલાકાતે આવેલા પદાધિકારીઓને કહ્યું કે તમારી ચાપલૂસીનો ભોગ અમારે બનવું પડી રહ્યું છે. ધારાસભ્યને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યા છે. સ્થાનિક લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. 




થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!