Bhavnagarમાં નીકળેલી રથયાત્રામાં જ્યારે Rajkot TRP અગ્નિકાંડનો ટેબ્લો હટાવી દેવાયો, લોકો ભરાયા રોષ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-07-08 10:40:21

અષાઢી બીજના દિવસે રાજ્યના અનેક ભાગોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી.. અમદાવાદમાં જેવી રીતે રથયાત્રા નીકળે છે તેવી રીતે ભાવનગરમાં પણ રથયાત્રા નીકળી. ગઈકાલે ભાવનગરમાં નીકળેલી રથયાત્રામાં એક ટેબ્લો એવો હતો જેમાં ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓના બેનરો લાગ્યા હતા. રાજકોટ અગ્નિકાંડ, હરણી કાંડ, તક્ષશિલા કાંડ જેવી દુર્ઘટનાઓના પોસ્ટર લાગ્યા હતા. પોલીસે આ ટેબ્લોમાંથી આ બધા પોસ્ટરો હટાવી દેવડાવ્યા અને ટેબ્લો પણ હટાવી દેવાયો હોવાની માહિતી સામે આવી છે. જેને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો..      

રથયાત્રાના ટેબ્લામાં લગાવાયેલા પોસ્ટરો પોલીસે હટાવી દીધા!

જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે આપણે ઈશ્વરને પ્રાર્થના કરતા હોઈએ છીએ કે આવી દુર્ઘટનાઓ ના થાય.. ગઈકાલે અનેક લોકોએ રથયાત્રા દરમિયાન આવી પ્રાર્થના ભગવાનને કરી હશે.. રથયાત્રા દરમિયાન Unique ટેબ્લો લોકોનું ધ્યાન ખેંચતું હોય છે.. અનેક ટેબ્લા એવા હોય છે જેમાં નાગરિકોને જાગૃત કરવાની ભાવના રહેલી હોય છે.. ભારે ઉત્સાહ સાથે લોકોએ રથયાત્રામાં ભાગ લીધો. રથયાત્રામાં નીકળતા ટેબ્લા આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે.. ત્યારે સુરત તક્ષશિલાકાંડ , રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ હોય કે પછી હરણી બોટ કાંડ. ભાવનગરની રથયાત્રામાં તક્ષશિલા, રાજકોટ અગ્નિકાંડ અને બોટકાંડના બેનરો સાથે ટ્રક નીકળ્યો હતો. 



પોલીસ દ્વારા બેનરો હટાવી દેવાથી લોકોમાં જોવા મળ્યો રોષ 

લોકોને જાગૃત કરવાના ઉદ્દેશથી આ ટેબ્લો નીકળ્યો હશે.. લોકો આવી દુર્ઘટનાઓને ભૂલી ના જાય, પીડિત પરિવારને ન્યાય મળે તેવી આશા હશે પરંતુ સરદારનગર નજીક આ ટ્રકમાંથી તમામ બેનરો પોલીસે ઉતારી લીધા હતા .પોલીસ દ્વારા આ  બેનરો હટાવવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ રાજકોટ અને હરણી કાંડ પર ટેબ્લો બનાવનારા લોકોએ એ તર્ક આપ્યો છે કે , અમે વાલીઓને જાગૃત કરવા માંગતા હતા , આવી અસલામત જગ્યાએ પોતાના બાળકોને ના મોકલવા. અને માટે જ જાગૃતિ મળે તે માટે પ્લોટ બનાવવામાં આવેલો પણ પોલીસના લોકોએ આવી આ બેનરો ફાડી નાખ્યા, અને ટેબ્લો પણ લઇ લેવાયો છે. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.