Jamawatની ટીમે જ્યારે Congressના આદિવાસી નેતા Anant Patelને પૂછ્યું કે તમે ભાજપમાં જવાના? જવાબ આપતા અનંત પટેલે કહ્યું કે...


  • Published By :
  • Published Date : 2024-03-11 09:51:00

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. કોંગેસના અનેક નેતાઓ, ધારાસભ્યો પક્ષને છોડી ભાજપમાં જઈ રહ્યા છે. આવનાર દિવસોમાં કોંગ્રેસમાં વધુ ભંગાણ થઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. હજી પણ અનેક ધારાસભ્યો, નેતાઓ, કાર્યકર્તાઓ કોંગ્રેસને છોડી શકે છે તેવી વાતો ચાલી રહી હતી અને આ બધા વચ્ચે અનંત પટેલ ભાજપમાં જશે કે નહીં તેની ખબર પડી ગઈ છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં અનંત પટેલને આ અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તે કોંગ્રેસમાં  જ રહેવાના છે. 

ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થયા હતા અનંત પટેલ

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચથી ગુજરાતમાં હતી. ગઈકાલે આ યાત્રાનો ગુજરાતમાં અંતિમ દિવસ હતો. આ યાત્રામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને તે ઉપરાંત કોંગ્રેસના ધારાસભ્યો, નેતાઓ તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આ યાત્રામાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોડોયા હતા. ચૈતર વસાવા અને રાહુલ ગાંધી એક સાથે ભરૂચમાં દેખાયા હતા. આ યાત્રામાં સામેલ થવા માટે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ જોડોયા હતા. ગુજરાતમાં જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે જોતા જમાવટની ટીમે તેમને પ્રશ્ન પૂછ્યો કે તે ભાજપમાં જશે કે નહીં ત્યારે તેમણે કહ્યું કે તેમને ભાજપમાંથી ઓફર નથી મળી! તેઓ ભાજપમાં નહીં જાય તેવી વાત અનંત પટેલે કરી છે. 


ભાજપમાં શરૂ થઈ ગયો છે ભરતીમેળો!

મહત્વનું છે કે ચૂંટણી નજીક આવતા ઓપરેશન લોટસ એક્ટિવ થઈ ગયું છે. છેલ્લા થોડા સમયની અંદર જ કોંગ્રેસના અનેક નેતાઓ, ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા છે અને અનેક પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાવાના છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા અર્જુન મોઢવાડિયા, અંબરીશ ડેર સહિતના નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે અને આવનાર સમયમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે જોવું રહ્યું કે ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કહેવામાં આવેલી વાત સાચી છે કે પછી બીજા રાજનેતાઓના જેવી સાબિત થાય છે. કારણ કે અનેક વખત એવું જોવામાં આવ્યું છે કે રાજનેતાઓ હમણાં ના પાડતા હોય છે પરંતુ થોડા દિવસ બાદ ખબર પડે છે કે તે ભાજપમાં જોડાઈ રહ્યા છે. શું રાજનેતાઓની નામાં હા છુપાયેલી હોય છે તે એક પ્રશ્ન છે..?          



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.