જ્યારે મેટા AIને દરેક ધર્મનાં આરાધ્યો પર જોક પુછ્યો તો દરેક પર અવનવાં જોક કહ્યા, ખાલી એક જ જગ્યાએ કહી દીધું I AM SORRY!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-29 18:42:27

અત્યાર સુધી એ વિષય પર ખુબ ચર્ચા થઈ કે જેટલી સરળતાથી તમે દુનિયાનાં બીજા ધર્મો વિશે બોલી શકો છો કે ટીકા કરી શકો છો એટલી સરળતાથી વિશ્વના કોઈ ખુણામાં ઈસ્લામ માટે નથી બોલાતું, અમુક વાર તમે માનતા હશો કે આ ખાલી ઉભી કરવામાં આવેલી ચર્ચાઓ છે બાકી ટીકા તો દરેકની થાય છે, પણ જો કોઈ આંતરરાષ્ટ્રીય માધ્યમ ધર્મ કે ધર્મગુરૂઓમાં ભેદભાવ કરે તો એને શું કહીશું?


જ્યારે AIને આ સવાલો પૂછવામાં આવ્યા ત્યારે... 

મેટા એટલે કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવી કંપનીઓના સમુહે પોતાનું AI વર્ઝન મેટા AI લોન્ચ કર્યું, જેમાં અલગ અલગ ધર્મનાં ઈશ્વર/આરાધ્યના નામ સાથે પ્રશ્ન પુછાયો કે એમનાં માટે કોઈ જોક શેર કરો.. તો મેટાએ દરેક માટે જોક શેર કર્યા, પણ જેવું પુછાયું કે પ્રોફેટ મોહમ્મદ એટલે કે મુસલમાનના સર્વોચ્ચ આરાધ્ય માટે જોક શેર કરો તો મેટાનો જવાબ હતો - સોરી, અમે ધર્મગુરૂઓ પર ટીપ્પણી નથી કરતા, જોઈ લો દરેક ધર્મનાં આરાધ્ય માટે કરેલો પ્રશ્ન અને મેટાનાં જવાબ... 


આવું થવાનું એક કારણ એ રીતે પણ જોવાઈ રહ્યું છે કે ઘણાં બધા ઈસ્લામિક રાષ્ટ્રો ગુસ્તાક-એ-રસુલ કી એક હી સજા, સર તન સે જુદા જેવી વાતો પર વિશ્વાસ કરે છે, અને પાકિસ્તાન જેવા દેશમાં તો તમે કોઈનાં પર પણ એણે પ્રોફેટનું અપમાન કર્યું છે કહીને એને મારી શકો અને કાયદો તમારું કશું જ ના ઉખાડી લે જેવી સ્થિતિ છે, પણ પ્રશ્ન એ થાય કે ભારતનાં તો બંધારણમાં સેક્યુલારીઝમ શબ્દ છે, અહીં પંથ/ધર્મની નિરપેક્ષતાનો મતલબ થાય છે કે અહીંયા દરેક સમાન છે તો ભારતમાંથી પુછાયેલા પ્રશ્નોમાં મેટા AI ભગવાન રામ, બુદ્ધ, ઋષભદેવ પર જોક ક્રેક કરી દે છે, પણ પ્રોફેટ મોહમ્મદ પર નથી કરી શકતું. તો મતલબ આ કઈ અસહિષ્ણુંતા છે અને શું કામ છે?



લોકસભાની ચૂંટણી પછી સૌથી પહેલો સવાલ હતો કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે? આ સવાલનો જવાબ આજે અથવા તો કાલે મળી જશે કારણ કે 4-5મી જુલાઈએ એટલે આજે અને આવતી કાલે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક સાળંગપુરમાં મળવાની છે. આ બેઠકમાં નવા અધ્યક્ષના નામ પર મોહર લાગી શકે છે..

ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી એટલો વિકાસ થયો કે છેક રોડ રસ્તામાં બસ આખી ખાડામાં સમાય શકે છે... મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ ગુજરાતમાં કરી અને સ્માર્ટસિટીના દાવા એ જ વરસાદી પાણીમાં ધોવાય ગયા

બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાવાનું છે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે મોટા ભાગના સરવેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવનાઓ રહેલી છે.

મહાભારતનું યુદ્ધ ચાલતું હોય અને રણમેદાનમાંથી ભગવાન શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ્ય આપે.. કાલિદાસજીના ભોજ પત્રોને ફેંદીએ તો તેમાંથી કવિતા નીકળે.. જનક રાજા હળ ચલાવે તો જમીનમાંથી સીતાજી મળે..