રસ્તો બનાવાનો કીધો, તો કોન્ટ્રાક્ટરે આવો રસ્તો બનાવ્યો! જુઓ કેવી રીતે રસ્તાની વચ્ચોવચ આવતા વીજપોલને હટાવ્યા વગર Radhanpurમાં બનાવાયો રસ્તો


  • Published By :
  • Published Date : 2023-09-01 09:25:14

ખરાબ રોડ રસ્તાની વાતો તો અનેક વખત કરવામાં આવે છે. અનેક વખત એવા પણ મુદ્દાઓ ઉઠે છે કે ખરાબ રોડ રસ્તાને કારણે અકસ્માત સર્જાય છે અને અનેક લોકો મોતને ભેટે છે. લોકોને પાકા રસ્તા મળે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે. શહેરોમાં તો હજૂ પણ રસ્તાઓની હાલત સારી છે પરંતુ ગામડાઓમાં તો રસ્તાઓની હાલત બિસ્માર છે. સારા રસ્તા બનાવી આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. સારા રસ્તા તો બની જાય છે પરંતુ તે મજબૂત નથી હોતા જેને કારણે માત્ર થોડા સમયની અંદર રસ્તાઓ તૂટી જાય છે. ત્યારે રાધનપુરમાં પાકો રસ્તો બનાવવાની કામગીરી શરૂ થઈ, રસ્તો પણ બની ગયો પરંતુ રસ્તાની વચ્ચોવચ આવતા વીજપોલને હટાવ્યા વગર. 

વીજપોલ હટાવ્યા વગર જ બનાવાઈ દેવાયો રોડ   

ઓછી ગુણવત્તાનો માલ સામાન વપરાતો હોવાને કારણે અનેક વખત રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે અથવા તો માત્ર થોડા સમયની અંદર જ ખાડાઓ પડી જતા હોય છે જેને કારણે અનેક વખત અકસ્માત સર્જાતો હોય છે. અનેક જગ્યાઓ પર પાકો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અનેક સ્થળો પર પાકા રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે રાધનપુરથી એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઘાંચી વિસ્તારમાં રસ્તાનું નિર્માણ થઈ રહ્યું હતું, રસ્તાની વચ્ચોવચ વીજપોલ આવતો હતો. વીજપોલને હટાવ્યા વગર જ રસ્તો બનાવી દીધો. રસ્તાની વચ્ચો વચ વીજપોલ છે. આ રસ્તો બનાવવનાર કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર દ્વારા જે બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તેની પર લોકો હસે કે રડે તે પ્રશ્ન લોકોને મુંજવી રહ્યો છે.  


આ રસ્તા પર જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? 

મહત્વનું છે કે આ રસ્તાની વચ્ચોવચ જે વીજપોલ મૂકવામાં આવ્યો છે તેને કારણે જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? કારણ કે જે રીતે વીજપોલને મધ્યમાં રાખીને રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે તેને કારણે રાત્રીના સમયે વીજપોલ વાહનચાલકોને દેખાય તે થોડુ અઘરૂ માનવામાં આવી રહ્યું છે. 



આવા રસ્તાનો શું લાભ જેનો થઈ ના શકે ઉપયોગ 

રસ્તાનું નિર્માણ તો કરી દેવામાં આવ્યું પરંતુ તે રસ્તાનો ઉપયોગ લોકો કરી શકશે તે એક પ્રશ્ન છે, કારણ કે રસ્તાની વચ્ચોવચ પોલ હોવાને કારણે ગાડીઓ અથવા તો મોટા વાહનો પસાર થઈ શકવાના નથી. કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈ લોકોમાં રોષ ભરાયો છે. કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે. મહત્વનું છે કે રસ્તો હોવો જરૂરી છે પરંતુ રસ્તો બન્યા પછી પણ જો તે ઉપયોગમાં ન આવી શકે તો તે શું કામનું?    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!