જ્યારે Andhra Pradeshના YSRCP પાર્ટીના MLA P Ramkrishna Reddyએ Boothમાં ઘૂસીને EVM પછાડ્યું! વીડિયો થયો વાયરલ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-22 18:21:12

લોકસભા ચૂંટણી તેમજ અનેક રાજ્યોમાં વિધાનસભાની અનેક બેઠકો માટે પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે..  બૂથ કેપ્ચરિંગના અનેક વીડિયો આપણી સામે આવ્યા છે..ત્યારે આંધ્ર પ્રદેશનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય પોલિંગ બુથ પર પહોંચે છે અને ઈવીએમને તોડી નાખે છે... આ વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે. 

અનેક એવા વીડિયો વાયરલ થયા છે જે સવાલ કરે છે કે.. 

દેશમાં મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે કર્મચારીઓ દિવસ રાત મહેનત કરતા હોય છે.. લોકસભા ચૂંટણી માટે થઈ રહેલા  મતદાન અંતર્ગત માત્ર બે તબક્કા ચૂંટણીના બાકી છે.. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે તંત્ર સામે અનેક સવાલો ઉભા કરતી હોય છે.. બુથ કેપ્ચરિંગના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોય છે... ત્યારે આંધ્રપ્રદેશનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ત્યાંની સત્તારૂપ પાર્ટીના ધારાસભ્ય ઈવીએમ મશીનને તોડતા દેખાય છે.. 



વીડિયો સામે આવતા આપી દેવાયા તપાસના આદેશ

જે વીડિયો સામે આવ્યો છે YSRCPના MLA પી રામકૃષ્ણ રેડ્ડી દેખાઈ રહ્યા છે . તેઓ પોલિંગ બુથમાં ઘૂસીને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે EVMને તોડી નાખે છે. અહીં એ પણ માહિતી સામે આવી રહી છે કે, આ MLA પી. રામકૃષ્ણ રેડ્ડીએ પોલિંગ સ્ટાફને પણ ધમકાવ્યા હતા . જો કે જેવી જ આ ઘટના સામે આવી કે ઇલેકશન કમિશને તરત જ તપાસ શરુ કરી દીધી. આ ઘટના કથિત રીતે ૧૩ મેના દિવસની હોવાની જાણકારી સામે આવી છે. ઇલેકશન કમિશને કહ્યું છે કે , વીડિયો પોલીસને સોંપી દેવામાં આવ્યો છે અને તપાસમાં મદદ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.