એક કિલો ઘઉંના ભાવમાં 19 ટકાનો વધારો, કેન્દ્ર સરકારની સંગ્રહખોરોને ચેતવણી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 13:16:07

દેશભરમાં ઘઉંનાં ભાવ આસમાને પહોંચ્યા છે. સમગ્ર દેશમાં ઘઉંનો પૂરતો જથ્થો છે તેમ છતાં પણ સટ્ટાબાજી અને સંગ્રહખોરીના કારણે ઘઉંના ભાવ વધી રહ્યાં છે. ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ સંગ્રહખોરો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં એક કિલો ઘઉંના ભાવમાં 19 ટકાનો વધારો થયો છે. એક વર્ષ અગાઉ એક કીલો ઘઉંનો ભાવ 26.01 રૂપિયા હતો જે વધીને હાલમાં 31.02 રૂપિયા થઇ ગયો છે. ઘઉના લોટના ભાવમાં પણ છેલ્લા એક વર્ષમાં 18 ટકાનો વધારો થયો છે. હાલમાં એક કીલો ઘઉંના લોટનો ભાવ વધીને 36 રૂપિયા થઇ ગયો છે.


સંગ્રહખોરો તથા કાળાબજારીયોને ચેતવણી


રોલર ફલોર મિલર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાની વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ કહ્યું હતું કે, કેન્દ્ર પાસે એફસીઆઈના ગોદામમાં 2.40 કરોડ ટન ઘઉંનો સ્ટોકસ જમાં પડયો છે.  સંગ્રહખોરી તથા કાળાબજારને રોકવા સ્ટોક લિમિટ્સ તથા ટ્રેડરોને સ્ટોકસની જાહેરાત કરવાની ફરજ પાડવા જેવા પગલાં લેતા પણ સરકાર ખચકાશે નહીં. ઘઉંના ભાવમાં વધારો થવા પાછળનું કારણ સટ્ટાકીય વેપાર હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. 


દેશમાં ઘઉંનો પુરતો જથ્થો


મિડીયા રિપોર્ટ પ્રમાણે પાંડેએ જણાવ્યું હતું કે, જુલાઈથી જુન (2021-22)ના ક્રોપ યરમાં ઘઉંનું રવી મોસમનું ઉત્પાદન 10.68 કરોડ ટન રહેવાનો સરકારે અંદાજ મૂક્યો છે. ઘઉંના ભાવ ઊંચે જશે તેવી અપેક્ષાએ ટ્રેડરો માલ પકડીને બેઠા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. 


ઘઉંનું ઉત્પાદન ઘર આંગણેની માગને પહોંચી વળવા માટે પૂરતું હોવાનું પણ પાંડેએ જણાવ્યું હતું. વર્તમાન નાણાં વર્ષમાં સરકારે અત્યારસુધી 45 લાખ ટન ઘઉંની નિકાસ કરી છે. આમાંથી 21 લાખ ટન પ્રતિબંધ મુકાયો તે પહેલા રવાના કરાયા હતા. વર્તમાન વર્ષના 13મી મેથી સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકયો છે.  ગયા નાણાં વર્ષમાં સરકારે 72 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી. ઘર આંગણે ઘઉંનો પૂરવઠો જળવાઈ રહે તે માટે સરકાર પૂરતા પગલાં લેશે. 



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.