WhatsAppએ ભારતનો ખોટો નકશો શેર કરવાને લઈ માંફી માંગી, મંત્રી રાજીવ ચંદ્રશેખરે ઠપકો આપ્યો હતા


  • Published By :
  • Published Date : 2023-01-01 13:25:42

ભારતનો ખોટો નકશો શેર કરવા બદલ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે દ્વારા ઠપકો આપ્યા બાદ WhatsAppએ માફી માંગી છે. વોટ્સએપે કહ્યું છે કે તે અજાણતા થયેલી ભૂલ માટે માફી માંગે છે અને ભવિષ્યમાં આ બાબતનું ધ્યાન રાખશે. વાસ્તવમાં, મેટાની માલિકીની મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપે તેના ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ભારતનો નકશો ખોટી રીતે બતાવવામાં આવ્યો હતો. વીડિયોમાં જમ્મુ-કાશ્મીરના હિસ્સા સાથે છેડછાડ કરવામાં આવી હતી. કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે વોટ્સએપના આ કૃત્ય માટે વોટ્સએપને ઠપકો આપ્યો હતો અને વીડિયોમાં સુધારો કરવા કહ્યું હતું. અગાઉ પણ, મંત્રીએ ભારતનો ખોટો નકશો શેર કરવા બદલ ઝૂમના સીઈઓ એરિક યુઆનની ઠપકો આપ્યો હતો.


કેન્દ્રીય મંત્રીએ પ્રતિબંધની ચેતવણી આપી 


કેન્દ્રીય  ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી મંત્રીરાજીવ ચંદ્રશેખરે વ્હોટ્સએપના વીડિયોનો જવાબ આપતાં કહ્યું, "પ્રિય વ્હોટ્સએપ, તમને ભારતના નકશાની ભૂલને શક્ય તેટલી વહેલી તકે સુધારવાની વિનંતી કરવામાં આવે છે. તમામ પ્લેટફોર્મ કે જ ભારતમાં વેપાર કરે છે અથવા ભારતમાં વેપાર કરવાનું ચાલુ રાખવા માંગે છે તે તમામ પ્લેટફોર્મ્સે ભારતનો સાચા નકશાનો ઉપયોગ કરવો જોઈએ.


વોટ્સએપે ભૂલ સુધારી


કેન્દ્રીય મંત્રીના ટ્વીટ બાદ વોટ્સએપે ભૂલ સુધારી અને ટ્વીટ કર્યું કે અણધારી ભૂલ દર્શાવવા બદલ આભાર. અમે તરત જ વીડિયો હટાવી દીધો છે, માફી માંગીએ છીએ. અમે ભવિષ્યમાં આ બાબતનું ધ્યાન રાખીશું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.