વોટ્સએપે લોન્ચ કર્યું આ ધમાકેદાર ફિચર! એક એકાઉન્ટ એકસાથે ચાર ફોન પર ચાલશે! યુઝર્સે આ અંગે આવી આપી પ્રતિક્રિયા!


  • Published By :
  • Published Date : 2023-04-26 11:51:25

આજના જમાનામાં ભાગ્યે જ કોઈ એવો વ્યક્તિ હશે જે વોટ્સએપ નહીં વાપરતો હોય. સામાન્ય લોકો પોતાનો સમય મુખ્યત્વે વોટ્સએપ પર પસાર કરતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગણાતા વોટ્સએપમાં નવા ફિચરને ઉમેરવામાં આવ્યો છે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. માર્કે લખ્યું હતું કે આજથી તમે વધુમાં વધુ 4 ફોનમાં એક વોટ્સએપ અકાઉન્ટ લોગિન કરી શકશો. મહત્વનું છે કે આવું ફિચર લાવવામાં આવે તેવી માગ ઘણા સમયથી કરવામાં આવી હતી.      

Image

એક વોટ્સએપ એકાઉન્ટથી લીંક થઈ શકે છે ચાર ફોન!

સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ઘણા સમયથી અનેક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ટ્વિટર હોય કે પછી વોટ્સએપ હોય તેમાં નવા નવા ફિચર્સ એડ કરવામાં  આવી રહ્યા છે. ત્યારે વોટ્સએપને લઈ માર્ક ઝુકરબર્ગ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે જે મુજબ એક વોટ્સએપ એકાઉન્ટ ચાર ફોનમાં વાપરી શકાશે. આ ફિચરને કમ્પેનિયન મોડ ફિચર કહવામાં આવી રહ્યું છે. આ ફિચરની મદદથી યૂઝર્સને મલ્ટી ડિવાઈસનો સપોર્ટ મળશે.આ ફિચરની મદદથી યૂઝર્સ એક જ વોટ્સએપ એકાઉન્ટ બીજા ડિવાઈસમાં પણ યૂઝ કરી શકશે. આ ફિચરની માગ લાંબા સમયથી કરવામાં આવી હતી. યુઝર્સે માગ કરી હતી કે અનેક ડિવાઈઝમાં એકાઉન્ટ લોગીન કરી શકે તેવો ફિચર લાવવામાં આવે.   


લોકો આપી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા

ટ્વિટર પર આ વસ્તુ ટ્રેન્ડ થઈ રહી છે. જે બાદ આ ફિચરને લઈ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ ફેવિકોલની એડને યાદ કરી તો કોઈએ બ્રેકઅપની વાત કરી. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે