ઈન્ઝમામ ઉલ હકે કર્યો બફાટ, દિગ્ગજ સ્પિનર હરભજન સિંહ અંગે આપ્યું આ વિવાદાસ્પદ નિવેદન


  • Published By :
  • Published Date : 2023-11-15 19:03:06

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે ઈન્ઝમામ ઉલ હકે  ભારતના દિગ્ગજ સ્પિનર હરભજન સિંહને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. ઈન્ઝમામે કહ્યું કે હરભજન સિંહ મૌલાના તારિક જમીલથી ઘણો પ્રભાવિત હતો અને તેણે ઈસ્લામ ધર્મ અપનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.


ઈન્ઝમામે શું કહ્યું?


ઈન્ઝમામે એક વીડિયોમાં કહ્યું, 'મૌલાના તારિક જમીલ દરરોજ અમને મળવા આવતા હતા. નમાઝ પઢવા માટે એક ઓરડો હતો. તે નમાઝ પછી અમારી સાથે વાત કરતા હતા. એક-બે દિવસ પછી, અમે ઈરફાન પઠાણ, ઝહીર ખાન અને મોહમ્મદ કૈફને નમાઝ અદા કરવા માટે બોલાવવાનું શરૂ કર્યું. મેં જોયું કે 2-3 વધુ ભારતીય ખેલાડીઓ પણ જોડાતા હતા, તેઓ નમાઝ અદા કરતા ન હતા પરંતુ મૌલાનાને સાંભળતા હતા. ઈન્ઝમામે વધુમાં કહ્યું, 'હરભજને એકવાર મને કહ્યું હતું કે મારું દિલ મને કહે છે કે તે (મૌલાના) જે પણ કહે, મારે તેને સ્વીકારવું જોઈએ. મેં કહ્યું તો તેમને ફોલો કરો. તમને શું રોકી રહ્યું છે?' ભજ્જીએ જવાબ આપ્યો કે હું તમારી સામે જોઉં છું અને પછી રોકાઈ જાઉં છું. તમારી જિંદગી એવી નથી. એક અમે છીએ કે જે અમારા ધર્મનું પાલન નથી કરી રહ્યા, અમને દોષિત માનવા જોઈએ.'


ભજ્જીએ ઈન્ઝમામને લતાડ્યો


બીજી તરફ હરભજન સિંહે ઈન્ઝમામ-ઉલ-હકને તેમના વિવાદાસ્પદ નિવેદન માટે ફટકાર લગાવી હતી. હરભજને X પર લખ્યું, 'તે કયા પ્રકારનો નશો કરીને વાત કરી રહ્યો છે? હું ભારતીય અને એક શીખ હોવાનો ગર્વ અનુભવું છું. આ બકવાસ લોકો કંઈ પણ બોલતા રહે છે.'



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે