માછીમાર દરિયામાં ગરક થાય અને મૃતદેહ ન મળે તો માછીમારનો પરિવાર શું કરે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 13:10:31

ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં ખારવા તેમજ ભિડિયા કોળી સમાજના લોકોની પરંપરા
VERAVAL PORT DRONE VIEWS | ONE OF INDIA'S BIGGEST FISHING PORTS - YouTube
વેરાવળ ભીડીયામાં બોટ બને છે અને યાર્ડ પણ આવેલ છે : યાર્ડની ફાઇલ તસ્વીર 

આજના સમયમાં વિવિધ સમાજોમાં અલગ અલગ રીતરિવાજો જોવા મળતા હોય છે અને આજે પણ પરંપરા જળવાયેલી છે. માછીમાર સમાજની વાત કરીએ તો આ પરિવારમાંથી કોઈ વ્યકિત દરિયો ખેડવા જાય અને અકસ્માતે દરિયામાં ગરક થાય તથા તેનો મૃતદેહ ન મળે તો તેનું પૂતળવેલ બનાવી સ્મશાનમાં જઈ અંતિમવિધિ કરાઈ છે. ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળમાં ખારવા સમાજ તેમજ ભિડિયા કોળી સમાજના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે અને વર્ષ દરમિયાન મોટા ભાગનો સમય દરિયામાં જ વિતાવતા હોય છે.

પરિવાર દ્વારા પૂતળવેલ બનાવી અંતિમવિધિ કરાય છે


ફિશિંગમાં જતી વખતે પણ ઈષ્ટ દેવને પ્રાર્થના કરી પોતાના વ્યવસાયની શરૂઆત કરી છે, ફિશિંગ વખતે કુદરતી આફત કે અકસ્માતે કોઈ બનાવ બને અને જો માછીમારનું નિધન થાય બાદમાં મૃતદેહ ન મળે તો પરિવાર દ્વારા પૂતળવેલ બનાવી અંતિમવિધિ કરાય છે. આ અંગે ભિડિયા કોળી સમાજના પટેલ રમેશભાઈ બારિયાએ કહ્યું હતું કે થોડા દિવસ પહેલાં એક બોટ મધદરિયે માછીમારી કરવા ગઈ હતી. અને ખલાસી રામજીભાઈ નથુભાઈ બારિયાનો પગ લપસી જતાં તેમનું મોત નીપજ્યું હતું. 10 દિવસ બાદ પણ મૃતદેહ હાથ ન લાગતાં પરિવારે પૂતળવેલ બનાવી સ્મશાનમાં અંતિમવિધિ કરી હતી.

પંચકમાં દર્ભના પૂતળાનો અગ્નિસંસ્કાર થાય


જો સમાજની કોઈપણ વ્યક્તિનું મૃત્યુ સામાન્ય સંજોગોમાં થયું હોય, પણ એ વખતે પંચકના દિવસો હોય તો એ વ્યક્તિને અગ્નિદાહ વખતે 4 દર્ભનાં પૂતળાં બનાવી તેને પણ સાથે જ અગ્નિદાહ અપાય છે. આની પાછળનું લોજિક એ છે કે જો પંચકના દિવસોમાં કોઇના મૃત્યુ વખતે આમ ના કરાય તો બીજા પાંચનું મૃત્યુ થઈ શકે છે.

પૂતળવેલમાં કેળાંના પાન, ઘઉં અને અડદનો લોટ તેમજ વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરાય છે. પૂતળવેલ બરાબર મૃતકના કદ જેવડું જ બને, જેમાં હાથ, પગ, દાંત બનાવાય છે.


સમાજની પરંપરા પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે ફિલ્મ જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો 


હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.