કેજરીવાલએ આ શું નવું કહ્યું ? "BJP એ અમને ગુજરાત છોડી દેવા ઑફર આપી હતી કે"


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-06 18:06:52


આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે એક ટીવી શૉ દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. અરવિંદ કેજરીવાલે સત્યેન્દ્ર જૈન મામલે કહ્યું કે, 'અમારી પાસે ભાજપની એક ઓફર આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાત છોડી દો, અમે સત્યેન્દ્ર જૈનને છોડી દઈશું.' 



"આ તો સુંદર વાર્તાઓ છે "

અને આ દરમિયાન અરવિંદ કેજરીવાલે મહાઠગ સુકેશ ચંદ્રશેખર દ્વારા સત્યેન્દ્ર જૈન પર લગાવવામાં આવેલા આરોપોને લઈને કહ્યું કે, ઘણા સમય પહેલા સુંદર વાર્તાઓ આવતી હતી, તેવી જ રીતે આ બધી ભાજપની સુંદર વાર્તાઓ છે. આ બધુ મોરબીમાં થયેલી દુર્ઘટના પરથી ધ્યાન હટાવવા માટે કરવામાં આવ્યું હતું, પરંતુ ભાજપની આ સુંદર વાર્તાઓને કોઈ ખરીદશે નહીં. અરવિંદ કેજરીવાલે કહ્યું કે,'સત્યેન્દ્ર જૈનને વધુ 3 મહિના સુધી જેલમાં રાખો. તમે અમને તોડી નહીં શકો.' 


ભાજપ પર કર્યા પ્રહાર 

ચૂંટણીની ચર્ચાઑમાં અરવિંદ કેજરીવાલએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું જો ભાજપે અહીં કામ કર્યું હોત તો 27 વર્ષ પછી અમને ગુજરાતમાં સ્થાન ન મળ્યું હોત. સાથે જ એવું પણ કહ્યું કે, ગુજરાતના લોકો કેજરીવાલને પોતાનો ભાઈ માનવા લાગ્યા છે, પોતાના પરિવારનો એક ભાગ માનવા લાગ્યા છે. મેં ગુજરાતની જનતાને વચન પણ આપ્યું છે કે જો અમારી સરકાર બનશે તો હું તમારા પરિવારનો એક ભાગ બનીને જવાબદારી નિભાવીશ.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.