આ તો કેવો ન્યાય!! નિર્જીવ વસ્તુને નુકસાન થાય તો માલિક વિરૂદ્ધ પગલા લેવાય, પરંતુ કોઈ માણસનો જીવ જાય તો પણ અધિકારી વિરૂદ્ધ પગલા ન લેવાય?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 12:08:03

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રી દરમિયાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે વંદે ભારત ટ્રેનની શરૂઆત કરાવી હતી. આ ટ્રેનને શરૂ થયાને વધુ સમય પણ નથી થયો અને આ ટ્રેનનો ભેંસનો સાથે અકસ્માત થઈ ગયો છે. જેને કારણે ટ્રેનને મોટું નુકસાન થયું છે. આ દુર્ઘટના ભેંસોને કારણે સર્જાઈ હોવાને કારણે ભેંસોના માલિક વિરૂદ્ધ કેસ કરવામાં આવ્યો છે. રેલ્વે પ્રોટેક્શન ફોર્સ દ્વારા ભેંસોના માલિક વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. 

Gandhinagar-Mumbai Vande Bharat Express engine damaged after hitting cattle  | Latest News India - Hindustan Times


ટ્રેનને નુકસાન થયું તે તંત્રને દેખાયું પણ ભેંસનું શું, તે તંત્રએ ન વિચાર્યુ? 

ત્યારે મહત્વની વાત એ છે કે ટ્રેનને તો મોટું નુકસાન થયું છે પરંતુ ભેંસોનું શું? ભેંસોના માલિકને પણ તો નુકસાન થયું છે. ભેંસોના માલિકને વળતર ચૂકવવાની વાત કરવાની તો દુર રહી પરંતુ ભેંસોના માલિકો વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવે છે. ત્યારે એક પ્રશ્ન અવશ્ય પૂછવાની ઈચ્છા થાય કે જો રખડતા ઢોરને કારણે કોઈ માણસનો જીવ ગયો હોત તો શું જવાબદાર અધિકારી વિરુદ્ધ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા ? ટ્રેનની બદલીમાં કોઈ માનવનો જીવ ગયો હોત શું તંત્ર આવી ત્વરિત કાર્યવાહી કરતી? સદનસીબે આ દુર્ઘટનામાં કોઈનો જીવ નથી ગયો જો ગયો હોત તો તંત્ર આ વાત પર કેટલી સહાનુભૂતિ રાખત તે એક પ્રશ્ન છે.      



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.