જે વાત કાંતિ અમૃતિયાએ કહી તે વાત વિરમગામમાં સાચી બની! સાંભળો મહિલા કોર્પોરેટરની કહાની જે બની પક્ષમાં જોડાયેલા ગુંડાઓનો ભોગ...


  • Published By :
  • Published Date : 2023-07-14 11:59:28

કાંતિ અમૃતિયાઓનો એક ઓડિયો ક્લીપ વાયરલ થયો છે જેમાં તે કથિત રીતે કહી રહ્યા છે કે કોંગ્રેસમાં કોઈ ગુંડા રહ્યા નથી કારણ કે બધા ગુડાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપના કોઈ નેતા સાથેની વાતચીતનો તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે આવી વાત એકદમ હળવા ટોનમાં, પોતાના મિજાજમાં કહી રહ્યા છે. જે વાત તેમના દ્વારા કરવામાં આવી છે તે કદાચ તેમનાથી બોલાઈ ગયું હશે તેવી પણ એક સંભાવના છે. વાત કાંતિ અમૃતિયાના ઓડિયોની નહીં પરંતુ જે હકીકત તેમણે રજૂ કરી છે તેની કરવી છે. ગુંડાઓ જ્યારે ખેસ ધારણ કરી લે છે ત્યારે તે પવિત્ર બની જાય છે. પછી તે ગુંડા નથી રહેતા ખેસ પહેર્યા બાદ તે માનનીય નેતાશ્રી બની જતા હોય છે. માનનીય નેતાશ્રી હોય અને ગુંડા હોય ત્યારે તેમનું એ કોમ્બીનેશન એટલું મજબૂત હોય છે કે તેમને હરાવવા માટે કોઈ સક્ષમ નથી હતું. પોલીસ અને અધિકારીઓ તેમના હાથની નીચે નહીં પરંતુ તેમના પગની નીચે કચડાતા હોય છે.      

જ્યારે ગુંડાઓ પાર્ટીનો ખેસ કરી લે છે ધારણ!

જ્યારે ગુંડા પાર્ટીનો ખેસ ધારણ કરી લે છે ત્યારે ન માત્ર સામાન્ય જનતાને પરંતુ તેનો ભોગ પાર્ટીના કાર્યકર્તાઓએ પણ બનવું પડતું હોય છે. એ કાર્યકર્તાઓ જે ગુંડા નથી માત્ર વિચારધારાને લઈ પક્ષ સાથે જોડાયેલા છે. રાજનીતિ અને માફિયાઓના પરસ્પર સંબંધ બહુ દ્રઢ હોય છે. બંને એક બીજાને પોષતા હોય છે. જો બંને એકબીજાનું પોષણ ન કરતા હોય તો બંનેનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ જતું હોય છે. પહેલા ગુંડાઓ રોડ રસ્તા પર ધાક ધમકી આપતા હતા ત્યારે હવે ગુંડાઓ રાજ્યની વિધાનસભા અને દેશની સંસદમાં પહોંચી જતા હોય છે.

 

ખુલ્લેઆમ કરાઈ હતી મહિલા કોર્પોરેટરના પતિની હત્યા 

આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે પક્ષમાં જોડાયેલા અને કોર્પોરેટર તરીકે કામ કરતા મહિલાના પતિની ખુલ્લેઆમ હત્યા વિરમગામમાં થઈ જાય છે. ખુલ્લેઆમ હત્યા થઈ હોય પરંતુ મહિનાઓ સુધી કોઈ પગલા નથી લેવામાં આવતા. પરિવાર ન્યાય માટે ગુહાર લગાવે પોલીસ પર આક્ષેપ લગાવે કે પોલીસ ગુંડાઓને છાવરી રહી છે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી. પરંતુ તે પરિવારનું સાંભળે કોણ? કારણ કે ગુંડો પણ ભારતીય પાર્ટી સાથે સંકડાયેલો હોય. આ વાત સોનલબેન જોશીની છે જે ભારતીય જનતા પાર્ટીમાં મહિલા કોર્પોરેટર છે. તે પોતે વિરમગામથી છે. 


કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ 

મહિનાઓ સુધી કોઈ કાર્યવાહી ન કરાતા છેલ્લે લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે જમાવટનો સહારો લીધો. સોનલબેનનો વીડિયો હજારો લોકોએ જોયો, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.જે વાત કાંતિ અમૃતિયા કથિત ઓડિયો વીડિયોમાં કહી રહ્યા છે તે સાચી છે. સામા પક્ષે કોઈ ગુંડાઓ છે જ નહીં કારણ કે બધા ગુંડા ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા છે. જો તમારે દાદાગીરી કરવી છે તો સત્તાના શરણે આવવું ખૂબ જરૂરી છે. કોંગ્રેસના નેતા પર કેસ થાય તો તે ભાજપમાં જોડાઈ જાય. કદાચ ખેસ ધારણ કરેલા ગુંડાને ખબર ન હોય કે જે પરિવાર પર તેણે અત્યાચાર કર્યો છે, જે પરિવારના સભ્ય પર હુમલો કર્યો છે તેની પર શું વીતતી હશે?  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.