શું હોય છે શાલીગ્રામ પથ્થર જેનાથી બનવાની છે રામ લલ્લાની પ્રતિમા?


  • Published By :
  • Published Date : 2023-02-03 15:39:26

અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. મંદિર નિર્માણની સાથે સાથે ભગવાન રામની પ્રતિમા જે પથ્થરથી બનશે તે ભારત આવી પહોંચી છે. મળતી માહિતી અનુસાર ભગવાન રામની પ્રતિમા શાલીગ્રામ પથ્થરથી તૈયાર કરવામાં આવી રહી છે. હિંદુ ધર્મમાં જેમ શિવલિંગને ભગવાન શંકરનું પ્રતિક માનવામાં આવે છે તેવી જ રીતે શાલીગ્રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.

Shaligram - Wikipedia

શું હોય છે શાલીગ્રામ?

ભગવાન રામ સાથે અનેક ભક્તોની આસ્થા જોડાયેલી છે. રામ ભગવાનને મર્યાદા પુરુષોત્તમ માનવામાં આવે છે. અયોધ્યા ખાતે તેમનું ભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. મળતી માહિતી અનુસાર શાલીગ્રામ પથ્થરથી ભગવાન રામની પ્રતિમા બનાવામાં આવી રહી છે. વિજ્ઞાનના પ્રમાણે શાલીગ્રામ પથ્થર કાળા રંગનો પથ્થર હોય છે પરંતુ અનેક વખત સફેદ, વાદળી, બ્રાઉન રંગમાં પણ મળી આવતો હોય છે. સામાન્ય રીતે શાલીગ્રામ પથ્થરને ગંડકી નદીના કિનારાથી એકત્ર કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના અવતાર માની શાલીગ્રામની પૂજા પણ કરવામાં આવે છે. 


શાલીગ્રામનો સંબંધ સાલગ્રામ સાથે જોડાયેલો છે. આ ગામ નેપાળમાં આવેલી ગંડકી નદીના કિનારે આવેલું છે. પુરાણોમાં પણ આના ઉલ્લેખ મળતા આવે છે. હિંદુ ધર્મમાં મુખ્યત્વે મૂર્તિના રૂપમાં પૂજા કરવામાં આવે છે. પરંતુ મૂર્તિ પૂજાની શરૂઆત થઈ તે પહેલા ભગવાન બ્રહ્માની શંખના રૂપમાં, ભગવાન શંકરની શિવલીંગના રૂપમાં જ્યારે ભગવાન વિષ્ણુની શાલીગ્રામના રૂપમાં પૂજા કરવામાં આવતી હતી.

Tirusaligramam/Saligram/Muktinath-Sri Moorthy Temple

ક્યાં આવેલું છે શાલીગ્રામનું મંદિર?

મળતી માહિતી અનુસાર શાલીગ્રામનું એકમાત્ર મંદિર નેપાળમાં આવેલું છે જે મુક્તિનાથના નામે ઓળખાય છે. આ મંદિર સુધી પહોંચવાની યાત્રા એકદમ મુશ્કેલી ભરેલી હોય છે. માન્યતા છે કે અહિંયા દર્શન કરવા આવતા લોકોના કષ્ટોનું નિવારણ થાય છે. મીડિયા રિપોર્ટસના અનુસાર 33 પ્રકારની શાલીગ્રામ હોય છે. શાલીગ્રામના તમામ પ્રકારને ભગવાન વિષ્ણુના અવતાર સાથે જોડવામાં આવે છે. ગોળ આકારવાળા શાલીગ્રામને ભગવાન વિષ્ણુનું ગોપાલ રૂપ માનવામાં આવે છે. માછલી વાળા આકારના શાલીગ્રામને મત્સ્ય અવતાર માનવામાં આવે છે. તે પ્રમાણે કુર્મ અવતાર, કૃષ્ણ અવતાર માનવામાં આવે છે. ત્યારે આવા શાલીગ્રામમાંથી ભગવાન રામની પ્રતિમા નિર્માણ પામવાની છે.           


  



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!