શું છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા પાછળનું કારણ? કેમ 8 માર્ચના દિવસે કરાય છે ઉજવણી


  • Published By :
  • Published Date : 2023-03-08 17:57:05

સમગ્ર વિશ્વમાં આજે એટલે કે 8 માર્ચે ઈન્ટરનેશનલ વુમન્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. મહત્વની ઘટનાઓને દર વર્ષે યાદ કરવા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે. મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ વધી રહી છે. ત્યારે આજે જાણીશું શા માટે 8 માર્ચના દિવસે જ કેમ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

 

પોતાના અધિકાર માટે મહિલાએ કર્યો હતો સંઘર્ષ 

વર્ષ 1908માં મહિલાઓએ પોતાના અધિકારોની માગ માટે આંદોલન કર્યું હતું. 15000 જેટલી મહિલાઓએ ન્યુયોર્કમાં ઓછા કલાકો, વધુ સારા વેતન અને મતદાનના અધિકારોની માગ કરી હતી. અટલે આ દિવસની શરૂઆત આંદોલનથી થઈ હતી. એક વર્ષ બાદ અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. ક્લેરા ઝેટકીન હતી જે એક સામ્યવાદી અને મહિલા અધિકારોની હિમાયતી હતા. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનું સૂચન પણ તેમણે કર્યું હતું. 1911માં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝલેન્ડ જેવા દેશોમાં ઉજવવામાં આવ્યો હતો. જે બાદ 1975ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસની ઉજવણીની શરૂઆત કરી. 


અલગ અલગ થીમ પર થાય છે મહિલા દિવસની ઉજવણી 

મહિલાઓને સામાજીક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓની ઉજવણી કરવા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. અલગ અલગ થીમ પર દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું પ્રતિનિધિત્વ કરતા ત્રણ રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ, લીલો તેમજ જાંબલી રંગનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ રંગ શુદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે, જાંબલી રંગ ન્યાય અને ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે લીલા રંગને આશાનું પ્રતિનિધિત્વ કરે છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે