વિશ્વ હિન્દુ પરિષદે જેને ગૌચર જેહાદ નામ આપ્યું એ અમદાવાદ જગન્નાથ મંદિરના વિસ્તારોને વેચી દેવાનો મામલો શું છે?


  • Published By :
  • Published Date : 2023-07-03 20:27:46

અરબી શબ્દ જિહાદનો અર્થ થાય છે નૈતિક મૂલ્યોના રક્ષણ માટે કરવા માટેનો પ્રયત્ન અથવા સંઘર્ષ. પણ તે જિહાદને હવે અલગ અલગ વસ્તુઓ સાથે જોડવામાં આવી રહ્યો છે. ક્યારેક લવ જિહાદ, ક્યારેક ઓનલાઈન ગેમિંગ જિહાદ, હલાલ જિહાદ, નારકોટિક્સ જિહાદ, નાઈ જિહાદ, ક્યારેક બિગ બોસ જિહાદ બાદ હવે નવો જિહાદ આવ્યો છે જેનું નામ છે ગૌચર જિહાદ. અમદાવાદના જગન્નાથ મંદિર વિસ્તારથી મામલો સામે આવ્યો છે વિગતવાર વાત કરીએ વિશ્વ હિન્દુ પરિષદને કેમ હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડ્યા?

અમદાવાદ જગન્નાથ મંદિરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ

વિશ્વ હિંદુ પરિષદે પહેલીવાર મુખ્યમંત્રી સામે કરી ફરિયાદ!

હમણા થોડા સમય પહેલા પૂરી બાદ સૌથી મોટી જગન્નાથ રથયાત્રા એટલે કે અમદાવાદ જગન્નાથ રથયાત્રા યોજાઈ. ધાર્મિક ભાવનાથી લોકોએ રથયાત્રાને વધાવી, મુસ્લીમ બિરાદરોએ કબૂતરો ઉડાડીને શાંતિનો સંદેશ આપ્યો પણ હવે તે જ જગન્નાથ મંદિરમાં વિસ્તારમાં લીઝ પર આપવામાં આવેલી જમીનનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. વિગતવાર વાત કરીએ તો અમદાવાદના બહેરામપુરા વિસ્તાર અને અમદાવાદ કોર્પોરેશને ગાયોના ઘાસચારા માટે 100 વર્ષ માટે ભાડા કરાર અંતર્ગત મહંત નરસિંહદાસ ગૌ સેવા ટ્રસ્ટને આપવામાં આવી. પણ હવે થયું એવું કે આ જમીન મુસ્લિમ બીરાદરોએ લીઝ ડીડ કરીને વેચી દેતા વિવાદ થઈ ગયો છે. તો જમીન ટ્રસ્ટને મળે તેના માટે વિશ્વ હિંદુ પરિષદે લડત ચલાવી. પણ તેના જ કાર્યકરને ધમકીઓ મળી. ધમકી મળતા વીએચપીના કાર્યકર ધર્મેન્દ્ર ભાવાણીએ જાહેર હિતની અરજી કરી દીધી છે, તેમણે આક્ષેપ કર્યો છે કે આ કારણોથી કરોડોની સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી થઈ છે તો પણ કોઈ કાર્યવાહી નથી થઈ. અહીં સુધી તો બધુ ઠીક હતું પણ વીએચપીના કાર્યકરે ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના રાજ્યપાલના પીએ સામે ફરિયાદ કરી દીધી છે. આમ વિશ્વ હિન્દુ પરિષદે જાહેરાત કરી છે કે જગન્નાથ મંદિર સામેના ગૌચર જિહાદ સામે અમે કાયદાકીય રીતે લડત લડીશું, જે દેશનું કાનુન કહેશે તે મુજબ અમે આગળ વધીશું. 

જગન્નાથ મંદિરના વહીવટદારોએ 2.97 લાખ ચો.મી.જમીન વેચતા સૌથી મોટી લેન્ડ જેહાદ  થઈ, કરોડો રૂપિયા કોના ખિસ્સામાં ગયા? , VHPના કાર્યકરનો આક્ષેપ | Biggest ...

ટ્રસ્ટમાં વાડ થઈને ચીભડાં ગળે જેવી સ્થિતિ!

પણ કોઈ પણ વસ્તુને સારી રીતે અને સુક્ષ્મ રીતે સમજવું હોય તો ઈતિહાસમાં ડોકીયું કરવું જ પડે છે. ઈતિહાસથી જ સમજાય છે કે થયું શું હતું અને ઈતિહાસ જ ભવિષ્યનું નિર્માણ કરતું હોય છે. આ કેસની વાત કરીએ તો 1926માં અમદાવાદ કલેક્ટરે નરસિંહદાસજીને જમીન આપી હતી પણ ગૌ સેવા ટ્રસ્ટે મંજૂરી વગર મુસલમાન બિરાદરોને જમીન ભાડે અથવા વેચાણથી આપી દીધી હતી. આમ વીએચપીના જણાવ્યા મુજબ મંદિરના કેટલાક વહીવટદારોએ જમીન વેચી ભ્રષ્ટાચાર કરીને ગૌચર જેહાદ કર્યું છે. વાડ થઈને ચીભડાં તો ગળાઈ ગયા છે પણ હવે આ જાહેર હિતની અરજીના કેસમાં હાઈકોર્ટ શું નિર્ણય પર આવશે તે જોવાનું રહેશે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!