ચીન સરકારનો આવો તો કેવો નિર્ણય, વિદેશથી આવતા લોકોએ નહીં થવું ક્વોરેન્ટાઈન


  • Published By :
  • Published Date : 2022-12-27 10:02:04

ચીનમાં વધતા કોરોના કેસ વાયુ વેગે વધી રહ્યા છે. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીનની પરિસ્થિતિને જોતા દુનિયાના દેશોની ચિંતામાં વધારો થયો છે. પરંતુ વધતા કોરોના કેસની વચ્ચે ચીન સરકારે એવો નિર્ણય લીધો છે જેને કારણે આગામી દિવસોમાં ચીનમાં કોરોના એકદમ વધી શકે છે. ચીન સરકારના નવા નિયમો અનુસાર 8 જાન્યુઆરીથી વિદેશથી આવતા લોકોએ ક્વોરેન્ટાઈન થવાનું ફરજિયાત નહીં હોય. માર્ચ 2020માં ચીન સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 


તમામ અંતરરાષ્ટ્રીય ફ્લાઈટને અપાઈ મંજૂરી 

વિશ્વના અનેક દેશોમાં કોરોનાને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. ચીન, જાપાન જેવા દેશોમાં કોરોનાની સ્થિતિ એકદમ બગડી રહી છે. ચીનમાં તો લાખો લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. એક દિવસમાં 10 લાખ જેટલા કેસો નોંધાઈ રહ્યા છે. વધતા કોરોના કેસ વચ્ચે ચીન સરકારે ઝીરો કોવિડ પોલિસીને હળવી કરી છે. ચીન સરકારે કહ્યું છે કે 8 જાન્યુઆરીથી વિદેશથી આવતા લોકોએ ક્વોરેન્ટાઈન નહીં થવું પડે. ઉપરાંત તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને પરવાનગી આપવામાં આવી છે. ત્રણ વર્ષ બાદ તમામ દેશના યાત્રીઓ ચીનમાં જઈ શકશે.


આ નિર્ણયને કારણે વધી શકે છે કોરોના સંક્રમણ

ચીનમાં કોરોના વધવાને કારણે ચીન સરકારે ઝીરો કોવિડ પોલિસી લાગુ કરી હતી. પરંતુ સ્થાનિકો દ્વારા આ નીતિનો વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોએ રસ્તા પર ઉતરી આ નીતિનો વિરોધ કર્યો હતો ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિના રાજીનામાની માગ પણ કરી હતી. વધતા વિરોધને જોતા ચીન સરકારે નિયમોને હળવા કર્યા. નિયમો હળવા થવાને કારણે કોરોના કેસમાં ઉછાળો જોવા મળ્યો હતો. લાખોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે વધુ એક નિયમ હળવો કરતા ચીન સરકારે વિદેશથી આવતા લોકો માટે ક્વોરેન્ટાઈન રહેવું મરજીયાત કરી દેવામાં આવ્યું છે. ચીન સરકારના આ નિયમને કારણે કોરોના સંક્રમિતોની સંખ્યામાં હજી પણ વધારો થઈ શકે છે.  




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે