રામ નગરી અયોધ્યામાં રામલલાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડનું ખાસ શુભ મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે એક મિનિટ અને 24 સેકન્ડમાં જ રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે. કાશીના પ્રખ્યાત જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે રામલલા પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત પસંદ કર્યું છે. આ શુભ મુહૂર્ત 12 વાગ્યેને 29 મિનિટ 2 સેકન્ડથી 12 વાગ્યાને 30 મિનિટ 32 સેકન્ડ સુધી છે. આ મુહૂર્તની વિશેષતા શું છે આવો તે જાણીએ.


#WATCH अयोध्या: श्री राम जन्मभूमि मंदिर परिसर के ऊपर हेलीकॉप्टर से फूलों की वर्षा की जा रही है।#RamMandirPranPrathistha pic.twitter.com/n9tE8kf8Vl
— ANI_HindiNews (@AHindinews) January 22, 2024
પ્રાણ પ્રતિષ્ઠા મુહૂર્તની શું છે વિશેષતા?
#WATCH अयोध्या: श्री राम जन्मभूमि मंदिर परिसर के ऊपर हेलीकॉप्टर से फूलों की वर्षा की जा रही है।#RamMandirPranPrathistha pic.twitter.com/n9tE8kf8Vl
— ANI_HindiNews (@AHindinews) January 22, 2024પંચાંગ અને અન્ય શુભ અશુભ યોગને જોતા રામલલાની મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા આપવા માટે 22 જાન્યુઆરી 2024, પોષ મહિનાની બારસ તિથિના રોજ અભિજીત મુહૂર્ત, ઈન્દ્ર યોગ, મૃગશિરા નક્ષત્ર, મેષ લગ્ન, અને વૃશ્ચિક નવાંશને પસંદ કર્યું છે. આ શુભ મુહૂર્ત દિવસના 12 વાગ્યાને 29 મિનિટ અને 08 સેકન્ડથી 12 વાગ્યાને 30 મિનિટ અને 32 સેકન્ડ સુધી એટલે કે 84 સેકન્ડનું રહેશે. આ સમય સુધીમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે.
તે જ પ્રકારે અયોધ્યામાં ભવ્ય રીતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન સોમવારે થઈ રહ્યું છે, જેમાં પીએમ મોદી તમામ ધાર્મિક અનુષ્ઠાનોમાં શામેલ થશે. મંગળવારે 23 જાન્યુઆરીના રોજ મંદિર લોકો માટે ખોલવામાં આવશે. મોદી ઉપરાંત દેશ અને વિદેશના શ્રધ્ધાળુંઓ મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચ્યા છે. આ જ કારણે અયોધ્યામાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.