બા સાથે બનેલી ઘટના કોઈ બીજાની સાથે ન બનવી જોઈએ! Vadodara વિસ્તારની જીવન-મરણની કચેરીએ માર્યો આ મોટો લોચો, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-07 12:38:16

કહેવાય છે કે જીવન અને મરણ કુદરતના હાથમાં હોય છે. કોન ક્યારે જનમશે અને કોન ક્યારે મરશે તે ઉપરવાળાના હાથમાં હોય છે. પરંતુ વડોદરાથી જે કિસ્સો સામે આવ્યો છે તે અજીબો ગરીબ છે. આમ તો અજીબ ન કહેવાય કારણ કે તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠતા હોય છે. આ વખતે પણ વડોદરામાં તંત્રની બેદકારી કહો કે ગંભીર ભૂલ કહો તે સામે આવી છે. જીવતા દાદીમાના ઘરે તેમના મૃત્યુનો દાખલો મોકલી આપ્યો છે કે તમે જીવતા નથી. જો કે આ બનાવ બાદ વડોદરા મહાનગર સેવા સદદની કચેરીના અંધેર વહીવટની જાહેરમાં નિંદા થઈ રહી છે. વિગતવાર વાત કરીએ જીવતા દાદીમાને વડોદરા તંત્ર દાદીમાના નામનો મરણનો દાખલો કેમ બનાવ્યો?



જીવતા ઝવેરબાના ઘરે આવ્યો તેમના મરણનો દાખલો

તમે જીવતા હોઉં અને કોઈ તમારા હાથમાં તમારા જ મરણનો દાખલો પકડાવી દેવામાં આવે તો તમારી શું પ્રતિક્રિયા હશે? આવો જ કિસ્સો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હાંડોદ ગામના પરમાર ફળિયામાં રહેતા વિધવા વૃદ્ધા ઝવેરબેન સાથે થયો છે. તેમના ઘરે થોડા દિવસ પહેલા એક દાખલો આવ્યો. પરિવારને થયું શું કોઈ સરકારી યોજનામાં બાનું નામ આવ્યું છે કે કેમ તે જોવા માટે તેમણે પ્રમાણ પત્ર જોયું. પણ પત્ર જોતાની સાથે પરિવારની આંખો ખુલીની ખુલી રહી જાય છે. આખો પરિવાર ચોંકી જાય છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જનમ મરણની શીયાબાગ ખાતેની કચેરીથી ઝવેર બાનો મરણનો દાખલો ઘરે પહોંચી ગયો હતો. 


ઝવેરબા જીવે છે તે સાબિત કરવા પરિવારે કરવી પડી ઘણી મહેનત

આ ઘટનાની જાણ પરિવારે હાંડોદની ગ્રામ પંચાયતમાં પણ કરી હતી કે વડોદરા તંત્રએ આવો ભગો માર્યો છે. પંચાયતને પછી ઝવેરબા જીવે છે તેવું હયાતીનું પંચનામું કરાવવું પડ્યું હતું. ઝવેરબાના દિકરા ગણપતભાઈએ હાંડોદ ગ્રામ પંચાયતમાં ઝવેરબા જીવે છે તેવી હયાતીનું પંચનામું કરાવ્યું હતું. ઝવેરબાની વાત કરીએ તો તે વિધવા વૃદ્ધ દાદીમાં છે. તેમને સરકાર તરફથી વિધવા પેન્શનનો લાભ પણ મળે છે. જો કે આવું સામે આવતા તે પણ ચિંતામાં આવી ગયા હતા કારણ કે બા વિધવા છે. 


સવાલ એ છે કે તંત્રએ જીવતા બાને શા માટે મૃત બતાવી દીધા?

સયાજી હોસ્પિટલ વડોદરા તરફથી જણાવામાં આવ્યું તું કે ઝવેરબાનું નિધન 17 જુલાઈ 2023ના થઈ ગયું છે. જો કે સામેની બાજુ બા તો સાજા સારા છે અને જીવે છે. જો કે હવે એ તો તપાસનો વિષય છે કે જીવતા ઝવેરબાને તંત્રએ કેમ મૃત જાહેર કરી દીધા છે. વડોદરા કોર્પોરેશનના જન્મ મરણ વિભાગની આ ગંભીર ભૂલ છે. વડોદરા તંત્રએ આવી ભૂલ કરનાર કોણ છે તેની તપાસ કરવી જોઈએ અને કસૂરવાર સામે કાયદેસરના પગલા લેવા જોઈએ કારણ કે આ તો ગંભીર ભૂલ કહેવાય કે તમે એક સાજા સારા જીવતા દાદીમાને મૃત જાહેર કરી દો છે. આવો બનાવ ગુજરાતમાં કોઈ વ્યક્તિ સાથે ન થાય, અને થવું પણ ન જોઈએ.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!