TAT-TETનાં ઉમેદવારોની અટકાયત થયા બાદ ગાંધીનગરમાં શું થયું? સાંભળો ધ્રુસકેને ધ્રુસકે રડી પડેલા ઉમેદવારની કહાની...


  • Published By :
  • Published Date : 2023-07-19 16:27:06

સમગ્ર ગુજરાતમાં જેની ચર્ચાઓ થઈ રહી છે તે મુદ્દો છે ટેટ ટાટના ઉમેદવારોનો. ગઈકાલે ગાંધીનગર ખાતે TET-TATના ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે વિરોધ પ્રદર્શન કરવાના હતા. જ્ઞાનસહાયક યોજના અંતર્ગત શિક્ષકોની ભરતી કરાર આધારીત કરવામાં આવશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાતનો વિરોધ TET-TATના ઉમેદવારો કરી રહ્યા છે. ઉમેદવારોની માગ છે કે કરાર આધારિત ભરતી નાબુદ કરવામાં આવે અને કાયમી ભરતી કરવામાં આવે. 

કરાર આધારીત ભરતી નાબુદ કરવા ઉમેદવારોની માગ  

TET-TATના ઉમેદવારો સરકાર સામે જાણે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. સરકારી નોકરી મેળવવા માટે ઉમેદવારો અનેક વર્ષો સુધી તનતોડ મહેનત કરતા હોય છે. અનેક વર્ષો સ્પાર્ધત્મક પરીક્ષાની તૈયારીઓ પાછળ સમર્પિત કરી દેતા હોય છે. ત્યારે ગુજરાતમાં અનેક વર્ષો બાદ TET-TATની પરીક્ષા લેવાઈ. પરીક્ષા યોજાઈ તેને લઈ ઉમેદવારોમાં આશા જાગી કે હવે તેમને નોકરી મળશે. પરંતુ ભરતી થાય તે પહેલા કરાર આધારીત શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી. આ જાહેરાતનો વિરોધ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારોનું કહેવું છે કે કરાર આધારીત નોકરી મેળવવા માટે આટલા વર્ષો મહેનત નથી કરી. તેમનું એવું પણ કહેવું છે કે જે શિક્ષકનું પોતાનું ભવિષ્ય સુરક્ષિત નથી, શિક્ષકોને જ પોતાના ભવિષ્યની ચિંતા થતી હોય તેવા શિક્ષકો કેવી રીતે બાળકોને સારૂં શિક્ષણ આપી શકે છે. તેમના ભવિષ્યનું સારી રીતે ઘડતર કેવી રીતે કરી શકે છે. 

જમાવટ સમક્ષ રજૂ કરી ઉમેદવારે પોતાની પીડા 

ગઈકાલે પોતાની માગ સાથે ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરવાના હતા પરંતુ સ્થળ પર પહોંચે તે પહેલા જ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી હતી. ઉમેદવારોને જ્યાં રાખવામાં આવ્યા હતા ત્યાંથી ઉમેદવારો વીડિયો બનાવી બનાવી પોતાનો અવાજ લોકો સુધી તેમજ સરકાર સુધી પહોંચાડી રહ્યા હતા. ત્યારે સરકાર સુધી ઉમેદવારોની વાત પહોંચે તે માટે અનેક ઉમેદવારોએ જમાવટનો સંપર્ક કર્યો હતો. ત્યારે TET-TATના ઉમેદવારોએ જમાવટ સામે પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું. પોતાના સંઘર્ષની કહાની સંભળાવતા સંભળાવતા ઉમેદવાર રડી પડ્યા હતા. ઉમેદવારોની પીડા સરકાર સમજે તેવી તેમની આશા છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.