શું કહે છે Aaj Tak-Axis My Indiaનો Exit Poll? INDIA - NDAને કેટલી મળી શકે છે સિટો? જાણો રાજ્ય વાઈઝ...


  • Published By :
  • Published Date : 2024-06-01 21:33:27

ચોથી તારીખે લોકસભા બેઠકની ચૂંટણી માટેનું પરિણામ આવવાનું છે.. ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા એક્ઝિટ પોલના આંકડા સામે આવતા હોય છે.. એક્ઝિટ પોલ અલગ અલગ સંસ્થાઓ દ્વારા આપવામાં આવતા હોય છે.. એબીપી સી વોટરના આંકડાની વાત કરી ત્યારે હવે Aaj Tak-Axis My Indiaના એક્ઝિટ પોલની વાત કરીએ... રાજ્યવાઈઝની વાત કરીએ તો ઉત્તરાખંડની પાંચ સીટોમાંથી એનડીએને 5 સીટો મળી રહી છે.. જ્યારે હિમાચલ પ્રદેશની ચાર બેઠકોમાંથી એનડીએને ચાર સીટો મળી રહી છે.


કયા રાજ્યમાં કોને મળી શકે છે બેઠક? 

અનેક રાજ્યો માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે પરંતુ અનેક રાજ્યો એવા છે કે જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ અલગ અલગ ચૂંટણી લડી હતી. ત્યારે પંજાબની વાત કરીએ તો બીજેપીને 2-4 સીટો મળી શકે છે જ્યારે આમ આદમી પાર્ટીને 0-2 સીટો મળી શકે છે જ્યારે કોંગ્રેસને 07-09 સીટો મળી શકે છે... અન્યને 02-04 સીટો મળી શકે છે..પંજાબની 13 લોકસભા બેઠકો છે.. હરિયાણાની 10 બેઠકોમાંથી એનડીએને 6-8 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 02-04 સીટો મળવાની સંભાવના છે.. 



દિલ્હીમાં આમ તો આમ આદમી પાર્ટીની સરકાર છે પરંતુ ત્યાંના પરિણામ એકદમ અલગ છે.. દિલ્હીની સાત બેઠકોમાંથી 6-7 બેઠકો એનડીએને આપી છે...ગોવામાં એનડીએને એક બેઠક જ્યારે ઈન્ડિયાને પણ એક બેઠક મળી શકે છે... 25 બેઠકો વાળા રાજસ્થાનમાં એનડીએને 16-19 બેઠકો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 5-7 બેઠકો મળી શકે છે.., અન્યને 01-02 બેઠકો મળી શકે છે.. 29 બેઠકો વાળા મધ્યપ્રદેશની વાત કરીએ તો એનડીએને 28-29 બેઠકો મળી શકે છે. તે સિવાય ગુજરાતની 26 બેઠકોમાંથી એનડીએને 25-26 બેઠકો મળી શકે છે...


તે સિવાય આસામની વાત કરીએ તો કોંગેસને 02-04 બેઠકો મળી શકે છે. એનડીએને 9-11 બેઠકો મળી શકે છે.. છત્તીસગઢની વાત કરીએ તો એનડીએને 10-11 બેઠકો મળી શકે છે.. ઈન્ડિયાને 01 સીટ મળી શકે છે.. ઝારખંડની વાત કરીએ તો એનડીએને 8-10 બેઠક મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 4-6 બેઠકો મળી શકે છે.. બિહારની વાત કરીએ તો એનડીએને 29-33 બેઠકો મળી શકે છે જ્યારે ઈન્ડિયાને 7-10 બેઠકો મળ શકે છે.. 



કેરળાની વાત કરીએ તો એનડીએને 2-3 સીટો મળી શકે છે જ્યારે યુડીએફને 17-18 બેઠકો મળી શકે છે જ્યારે એલડીએફને1 બેઠક મળી શકે છે. તે સિવાય કર્ણાટકની વાત કરીએ તો એનડીએને 23-25 સીટો મળી શકે છે જ્યારે એનડીએને 3-5 સીટો મળી શકે છે.. તમિલનાડુની વતા કરીએ તો એનડીએને 2-4 બેઠકો મળી શકે છે. AIADMIK+ને 2 સીટો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને 33-37 બેઠકો મળી શકે છે.. મણિપુરની બે સીટોમાંથી એક સીટ અન્યને જઈ રહી છે. 



હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

મેરઠ મર્ડર કેસમાં જબરદસ્ત તપાસ ચાલી રહી છે પેહલી પોલીસ સ્તરે , બીજું સાયબર સેલ થકી અને ત્રીજું ફોરેન્સિક ટીમ દ્વારા . હવે ફોરેન્સિક ટીમે ખુબ ચોંકાવનારા ખુલાસા સામે રાખ્યા છે. જેમ કે , સાહિલ અને મુસ્કાન સૌરભના ટુકડાઓને સૂટકેસમાં ભરીને તેનો નિકાલ કરવા માંગતા હતા . પરંતુ સૂટકેસ નાની હતી . જેથી બીજા દિવસે મુસ્કાને એક ડ્રમ ખરીદ્યુ અને તેમાં શરીરના ટુકડાઓ રાખીને સિમેન્ટથી સીલ કરી દીધું . ફોરેન્સિક ટીમના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં લોહીના ડાઘ મળ્યા છે.

૧ એપ્રિલ, ૨૦૨૫ થી, યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને યુરોપિયન યુનિયન આંતરરાષ્ટ્રીય અરજદારો માટે વિઝા ચાર્જ અને ટ્યુશન ફીમાં વધારો કરશે. આ વધારો ટૂંકા ગાળાના વિઝિટર વિઝાથી લઈને વિદેશમાં મુલાકાત લેવા માટે જશો તો ચુકવા પડશે.વર્ક વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા દરેકને માટે તમામ ફી માં વધારો ઝીંકાયો છે

સુરતની 7 વર્ષીય વાકા લક્ષ્મી પ્રાગ્નિકાએ ફિડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025ની અંડર 7 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.વાકા લક્ષ્મીએ સર્બિયામાં યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં 9 માંથી 9 પોઈન્ટ મેળવીને ગોલ્ડ પોતાને નામે કર્યો છે. વાકા ભારતનું પ્રતિનિધિત્વ કરતી તમામ વય શ્રેણીના ખેલાડીઓમાં ગોલ્ડ જીતનારી એકમાત્ર ખેલાડી બની છે.